Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સુરતમાં ચાર દિવસ પહેલા ગૂમ થયેલ આધેડનો મૃતદેહ જાંગીપુરા નદીમાંથી મળી આવતા અરેરાટી

સુરત:ચાર દિવસ પહેલા ગુમ થયેલા જહાંગીરપુરામાં રહેતા આઘેડની જાંગીપુરા નદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ જહાંગીરપુરાના પેટ્રોલ પંપ પાસે માધવવાસ મોહલ્લામાં રહેતા 46 વર્ષીય અશોકભાઈ ધુળાભાઈ પટેલ ગત તારીખ 28મી સવારે ઘરે જાણ કરવા વગર નીકળી ગયા હતા. જોકે મોડી સાંજ સુધી તે ઘરે પરત નહીં આવતાં તેના પરિવારજનોએ શોધખોળ આદરી હતી, પણ તેની ભાળ મળી ન હતી. દરમિયાન રવિવારે બપોરે તેમના ઘર પાસે રહેતી વ્યક્તિ નદીમાં માછલી પકડવા ગયો હતો. ત્યારે જહાંગીરપુરામાં પાણીની ટાંકી પાસે તાપી નદી માથી અશોકભાઈ મૃતદેહ જોઈને ચોંકી ઉઠ્યો હતો. જેથી તે માછીમારે આ અંગે તેના પરિવારને જાણ કરી હતી અને પરિવારે પોલીસને જાણ કરતા ત્યાં પહોંચી કાર્યવાહી કરીને મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે અશોકભાઈ પત્નીનું લાંબા સમય પહેલા અવસાન થયું હતું. ત્યાંથી તે ટેન્શનમાં રહેતા હોવાથી માનસિક બિમારીમાં સપડાયા હતા. આવા સંજોગોમાં તે નદીમાંથી મૃત હાલતમાં આવ્યા હતા તેમને સંતાનમાં ત્રણ પુત્રી છે. તે અગાઉ છૂટક કામકાજ કરતા હતા આ અંગે સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:27 pm IST)