Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પાદરામાં લવ જેહાદ મામલે લોકોમાં ભારે રોષ : હજારો લોકોની વિશાળ રેલી: મામલતદારને આપ્યું આવેદનપત્ર

વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો તેમજ યુવાનો અને રાજકીય અગ્રણીઓ તેમજ મહિલાઓની ઉપસ્થિતિમાં રેલી

વડોદરાના પાદરામાં લવજેહાદ મામલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે,હજારો લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં પોલીસ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો

પાદરામાં 12 દિવસ પહેલા લગ્નની લાલચ આપી વિધર્મી યુવક દ્વારા એક હિન્દુ યુવતીને ભગાડી જવાનો કિસ્સમો પ્રકાશમાં આવ્યો હતો. જો કે, 12 દિવસ થઈ ગયા બાદ પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ભારે રોષ સાથે આજે એક વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો તેમજ યુવાનો અને રાજકીય અગ્રણીઓ તેમજ મહિલાઓની ઉપસ્થિતિમાં રેલી યોજવામાં આવી હતી

આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા અને પોલીસ સામે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. ભારે સુત્રોચાર સાથે રેલીનું આયોજન કરી મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. રોષે ભરાયેલ મહિલાઓએ જણાવ્યું હતું કે, રેલીમાં રાજપૂત સમાજના યુવાનો અને અગ્રણીઓ તેમજ અન્ય હિન્દુ સંગઠનો પણ આવેદનપત્ર અને રેલીમાં જોડાયા હતા અને લવ જેહાદનો કાયદો રાજ્ય સરકાર અમલમાં લાવે તેવી માંગ કરી હતી

લવ જેહાદનો કિસ્સો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી સરકારને આ કાયદો અમલમાં લાવવા માટે તેઓએ માંગ કરી છે. જો કે, આ રેલીમાં હિન્દુ સંગઠનો સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા રાજકીય અગ્રણીઓ તેમજ પાલીકાના પૂર્વ સભ્યો પણ રેલી અને આવેદનપત્રના કાર્યક્રમમાં જોડાયા હતા. જ્યાં સુધી વિધર્મી યુવકને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી.

(8:09 pm IST)