Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

અનોખા ગુજરાતીઓને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી નવાજાશે

ગરવા ગુજરાતીઓનું ડિજિટલી સમ્માન કરાશે : સન્માન માટે સ્પોર્ટ્સ, સામાજિક સેવા, સંગીત, તબીબી વિજ્ઞાન, શિક્ષણ પ્રોફેશનલ્સમાંથી ૨૯ની પસંદગી કરાઈ

અમદાવાદ , તા.૧ : કોરોનાના બંધન વચ્ચે પણ ગુજરાતનો સ્થાપના દિવસ આ વખતે વિશે્ષ બની રહે છે. જાણીતા લેખક અને ગ્લોબલ મેનેજમેન્ટ થિક્નર ડો. શૈલેષ ઠાકર દ્વારા લખાયેલ પુસ્તક "કોરોના વર્સસ હ્યુમનિટી"પ્રકાશિત થયું છે. આ પુસ્તકના વેચાણ દ્વારા પ્રાપ્ત થતી તમામ આવક કોરોના યોદ્ધાઓના પરિવારોના ઉત્કર્ષ માટે દાન કરવામાં આવશે.

તો સાથે જ સંજયલીલા ભણસાલી, પંકજ ઉધાસ અને ૭ પદ્મશ્રી મહાનુભવોની પુષ્ટિ કરવામાં આવી છે કે આ પ્રસંગે આયોજિત ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ સમારોહમાં તેમની ઉપસ્થિતિ વિશેષ રહેશે. આયના (એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા) અને કેપીએફ (નોલેજ પ્લસ ફાઉન્ડેશન) વિવિધ ક્ષેત્રમાં સૌથી વધુ ફાળો આપવા બદલ ઉત્કૃષ્ટ ગુજરાતીઓના ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરે છે. આ સન્માન માટે સ્પોર્ટ્સ, સામાજિક સેવા, સંગીત, તબીબી વિજ્ઞાન, શિક્ષણ, કાયદો, કલા અને ફિલ્મ અને પ્રોફેશનલ્સમાંથી કુલ ૨૯ મહાનુભવોની પસંદગી થઈ છે.

 ગુજરાતની સ્થાપના ૧ લી મે, ૧૯૬૦ ના દિવસે થઈ હતી. સ્થાપના દિનને યાદગાર બનાવતાં આ દિવસે અમદાવાદમાં ઉત્કૃષ્ટ ગુજરાતીઓનું ડિજિટલી સન્માન કરી ઉજવણી થશે. પંકજ ઉધાસ, દિલીપ જોશી, હસીત શાહ, મનોજ ભીમાણી જેવા ઉત્કૃષ્ટ ગુજરાતીઓને એક સન્માન, પ્રશંસાપત્ર અને પુષ્પો અર્પણ થશે. બિમલ પટેલ, મનોજ જોશી, મથુર સવાણી, વીવી મારવણીયા, યઝદી કરંજિયા અને નારાયણ જોશી જેવા પદ્મશ્રી આ પ્રસંગે સન્માનિત થવા જઈ રહ્યા છે. એવોર્ડ મેળવનારાઓમાં આ સાથે મનુભાઇ પરમાર (હાર્મોનિયમથી પાલિતાણાને વિશ્વમાં ઓળખ ઊભી કરનાર ), નારાયણ જોશી (સાહિત્ય અને સમાજ સેવા) વી વી. મારવણિયા (કૃષિ), ડો. મુકેશ બાવીસી (મેડિસિન) યોગેશ ભાવસાર (વ્યાપાર અને ઉદ્યોગ સાહસિક), મનીષ મહેતા અને દેવાંગ ભટ્ટ (ડિજિટલ અને ટીવી  મીડિયા), મીનલ પટેલ (ગ્રામીણ સેવાઓ) અને સૌમ્યા જોશી (કલા) અજિત સી શાહ (સી.એ.), અશોક જૈન (ફાઇનાન્સ), અને સમુદ્રપારથી હર્ષદ રાવ, (યુગાન્ડા) વિજય ઠક્કર (યુએસએ) જેવા વ્યવસાયિકોની પસંદગી સમાજમાં તેમના અનંત યોગદાન માટે થઈ છે. 

જ્યૂરીએ પ્રાપ્ત ૧૨૮ એન્ટ્રીમાંથી ૨૯ નામોની પસંદગી કરી છે. જ્યૂરીનું નેતૃત્વ સી.કે.પટેલ અને અન્ય ૪ સભ્યોએ શોભાવ્યું છે. પાંચ જ્યુરી સભ્યો અને હેમંત શાહે (પ્રમુખ, એનઆરજી એસોસિએશન) ભારપૂર્વક જણાવ્યું હતું કે જન્મથી ગુજરાતી અને વિશ્વભરમાં સક્રિય છે એવા ઉપરાંત અન્ય સ્થળે જન્મેલા અને ગુજરાતને કર્મ ભૂમિ તરીકે પસંદ કરી છે તેવા મહાનુભવો આ સન્માન માટે પસંદ થયા છે. અમને અત્યાર સુધીમાં ૧૨૮ અરજીઓ મળી. જેમાંથી અમે ૨૯ લોકોને પસંદ કર્યા છે.

ખ્યાતનામ લેખક અને ગ્લોબલ મેનેજમેન્ટ થિક્નર ડો. શૈલેષ ઠાકરે "કોરોના વર્સસ હ્યુમનિટી"પુસ્તક લખ્યું છે. બધા જ ફોરમેટમાં એક જ દિવસે એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. પુસ્તક દ્વારા પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ કોવિડ-૧૯ યોદ્ધાના પરિવારના સભ્યોની સહાયતા માટે કરવામાં આવશે.

 ડો.શૈલેષ ઠાકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે તમે બહાર મુસાફરી કરી શકતા નથી ત્યારે અંદર જઇ શકો છો. આ સ્થિતિએ જ મને પુસ્તક લખવા પ્રેર્યો છે. પુસ્તક ૧૪ પ્રકરણોની અનુક્રમણિકા સાથે છે અને ૧૭૮ પાનામાં આલેખાયું છે. પ્રકૃતિનું મહત્વ, પૃથ્વીનું સંતુલન, સુપર પાવરમાં વિશ્વાસ, જીવનશૈલી વિરુદ્ધ જીવનશૈલી, સહનિર્માણો અને ગ્રહ પર સહ-અસ્તિત્વ, દરેકને કંઈક અર્પણ કરવાનો વિશ્વાસ, ભૂમિકા અને દરેકની જવાબદારીમાં શ્રદ્ધા.  વિજયી સમીકરણ સાથે પ્રકૃતિ અને સુપર ઇન્ટેલિજન્સમાં કંઈપણ નકામું નથી એ સમજ પુસ્તકમાં આવરી લેવાયા છે.

 પોલીસ કર્મચારી, નર્સો, હોસ્પિટલના વોર્ડ બોય, કર્મચારીના ૧૦૮ ડ્રાઇવરો, હોસ્પિટલ સ્ટાફના સભ્યો અને જીવન ગુમાવનાર પેરા મેડિકલ સર્વિસના સભ્યો અને તેમની પત્ની / પુત્રીઓ જેવા કોવિડ-૧૯ યોદ્ધાઓને કેપીએફ દ્વારા દત્તક લેવામાં આવશે. પુસ્તકો દ્વારા આવક દ્વારા શૈક્ષણિક સહાય, તબીબી વીમો.  કોવિડ -૧૯ ની પરિસ્થિતિ સામાન્ય થયા પછી એક કાર્યક્રમ પણ યોજવામાં આવશે.  આ સૂચિ એ ડિજિટલી જાહેર કરવામાં આવી છે.  http://kpfoundations.com/gujaratratnagauravaward/.

(9:13 pm IST)