Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજ્યના ૪ મહાનગરના

લોકોએ માસ્ક ન પહેરવાનો ૭.૬૯ કરોડનો દંડ ભર્યો

નવી દિલ્હી,તા.૦૧: ગુજરાતીઓને કોરોનાના કેર વચ્ચે માસ્ક ન પહેરવો મોંદ્યો પડ્યો, સાત કરોડનો દંડ જાહેર સ્થાનો પર માસ્ક પહેરવું ફરજિયાત થયું ત્યારબાદ ગુજરાતનાં ચાર મુખ્ય શહેરોમાં લોકોએ અંદાજે ૭.૬૯ કરોડથી વધારે રકમનો દંડ સરકારને ચૂકવ્યો. જોકે તે છતાં માસ્કની મગજમારી રોજ ચર્ચાનો વિષય બની છે.

અચાનક આવેલી કોરોનાની આપદાએ આપણી જીવનશૈલી, રહેણીકરણી, ખાન-પાન, કામ-ધંધો સહિત તમામ મોરચે પડકાર ઊભો કર્યો છે.

આમાં સૌથી મોટો મુદ્દો માસ્ક અને સામાજિક અંતર જાળવવાની નવી આવી પડેલી ટેવનો છે. અનેક લોકોએ પડકાર ઝીલી માસ્ક પહેરવાની આદત પાડી છે. અનેક હજી પણ માસ્ક પહેરવું અનિવાર્ય છે, એ વાત સમજી નથી રહ્યા અથવા તો તેને ગંભીરતાથી લઈ નથી રહ્યા.

માસ્કને લઈને નાગરિકો અને તંત્ર વચ્ચે ઘણી રકઝકના બનાવો પણ બન્યા છે. કદાચ એટલા માટે જ હાલમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે ૧ ઑગસ્ટથી માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂપિયા ૨૦૦ને બદલે હવે રૂપિયા ૫૦૦ દંડ લેવાશે. લોકોમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે તેનો અમલ કરાવવાની કામગીરી ગુજરાત પોલીસ પર આવી છે.

પોલીસ માસ્ક ન પહેરનારા લોકોને પકડે છે અને એમની પાસેથી દંડ વસૂલે છે. ગુજરાતમાં સૌથી વધારે કેસો અમદાવાદ અને સુરતમાં સામે આવ્યા છે, ત્યારે આ બે શહેરો માસ્ક નહીં પહેરવાનો દંડ ભરવામાં આગળ છે. એ પછી રાજકોટ અને વડોદરા છે.

ચારેય શહેરની પોલીસકમિશનરની કચેરીએ આપેલી વિગત મુજબ, જુલાઈ મહિના સુધી અમદાવાદમાં રૂ. ૨,૯૩,૮૭૦૦૦ સુરતમાં રૂ. ૨,૨૩,૩૩,૨૦૦, રાજકોટમાં રૂ. ૧.૮૪,૦૦,૦૦૦ અને વડોદરામાં ૬૮,૧૨,૪૦૦ રૂપિયાનો દંડ લોકો પાસેથી વસૂલવામાં આવ્યો છે.

આ આંકડો આમ ગુજરાતની વસતી કરતાં પણ વધારે છે અને હજી આ તો ફકત મોટાં શહેરોની જ વાત છે. નાનાં શહેરોનો આંકડો તો અલગ.

કોરોનામાં માસ્કના મહત્ત્વ વિશે જયારે બીબીસી ગુજરાતીએ સિનિયર ડાઙ્ખ. પાર્થિવ મહેતા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે માસ્ક ન પહેરીને લોકો સંક્રમિત થવાની શકયતા ૬૦ ગણી વધારી દે છે.

ડૉ. મહેતાનું કહેવું છે કે ઙ્કબે વ્યકિત સાથે હોય અને બન્નેએ માસ્ક પહેર્યા હોય તો અને જો તેમાંથી એકને કોવિડ-૧૯ હોય તો સંક્રમણ ફેલાવવાની શકયતા ૯૦ હોય છે. જો બન્નેએ માસ્ક પહેર્યા હોય તો આ શકયતા ૧.૫ ટકા જેટલી હોય છે.

લોકો માસ્કનું મહત્ત્વ સમજે અને તેમનામાં જાગૃતિ આવે તે માટે ડૉ. પાર્થિવ મહેતા દ્યણા સમયથી સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે વાતો કરી રહ્યા છે.

(3:49 pm IST)