Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

વિરમગામ તાલુકાના સચાણા ગામમાં જ્ઞાન કુંજ વર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું

શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવાના હેતુથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ તાલુકાના સચાણા ગામમાં જ્ઞાન કુંજ વર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સચાણાના સરપંચ આલાભાઈ, સચાણા સિટના તાલુકા ડેલીગેટ રાજુભાઈ પરમાર, વિરમગામ તા. અનુ. જાતિ મોરચા પ્રમુખ તથા અમદાવાદ જિલ્લા આઈ.ટી.સેલના નૈતિક મકવાણા, આચાર્ય રજનીકાંત પંચાલ, શિક્ષક સ્ટાફ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવાના હેતુથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે.( તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

 

(3:59 pm IST)