Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

નડિયાદમાં સર્જાયેલ બે જુદા જુદા ગમખ્વાર અકસ્માતમાં બે શખ્સોના મૃત્યુ

નડિયાદ : નડિયાદ મહેમદાવાદ રોડ દેવકી વણસોલ નજીક તેમજ નડિયાદ સંત અન્ના ચોકડી રિમાન્ડ હોમ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે શખ્સોેના મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે જુદી જુદી બે ફરિયાદ આધારે સ્થાનિક પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર બોરસદમાં સાન્વી રેસીડેન્સીમાં રહેતા અભિજીતસિંહ પરમારના પિતા શિવસિહ પરમાર તા. ૩૦/૦૭/૨૨ ના સવારે એક મોપેડ લઈ ગાંધીનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવા નડીયાદથી મહેમદાવાદ રોડ પરથી જઈ રહ્યા હતા. ત્યારે દેવકી વણસોલ બસ સ્ટેન્ડ નજીક સામેથી આવેલી એક બાઇક ધડાકા ભેડ મોપેડ સાથે અથડાઇ હતી. જેને કારણે શિવસિંહ પ્રભાતસિંહ પરમાર (ઉંમર ૬૧ વર્ષ) ને રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે ખાત્રજ ચોકડી નજીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શિવસિંહ પરમારનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે અભિજીતસિંહ શિવસિંહ પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અકસ્માતનો બીજો બનાવ નડિયાદમાં જવાહર નગર રોડ પર સર્જાયો હતો. જેમાં નડિયાદમાં મંજીપુરા ગામમાં રહેતા ગૌરાંગભાઈ પાઠક ખાનગી સિક્યુરિટી માં નોકરી કરતા હતા. ગૌરાંગભાઈ સવારે ૫.૩૦ વાગે સિક્યુરિટીની નોકરી પૂરી કરી સાયકલ લઈને ઘરે જતા હતા. ત્યારે સંત અન્ના ચોકડીથી જવાહરનગર તરફ જતા રિમાન્ડ હોમ નજીક આગળ જતા છોટા હાથીની ઓવરટેક કરવા જતા છોટા હાથીની ટક્કર વાગતા ગૌરાંગભાઈ પાઠક નો રોડ પર પટકાતા છોટા હાથી પાછળના ભાગે અથડાતા માથામાં ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હેમંતકુમાર ઉર્ફે હિતેશભાઈ હર્ષદરાય પાઠક ની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે છોટા હાથીના ચાલક સામે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:56 pm IST)