Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

અમદાવાદ સહીત નગરોમાં વકરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 606 નવા કેસ નોંધાયા:વધુ 729 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું:કુલ મૃત્યુઆંક 10,970: કુલ 12.38.393 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2.74.983 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 6413 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 606 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 729 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.38.393 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.970 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.61 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 2.74.983 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.68.47.239 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 6413 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 13 દર્દી વેન્ટિલેટર પર છે,અને 6400 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 606 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 172 કેસ, મહેસાણામાં 75 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 48 કેસ, સુરતમાં 39 કેસ, સુરત કોર્પોરેશનમાં 38 કેસ, ગાંધીનગરમાં 27 કેસ, વડોદરામાં 25 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 19 કેસ, કચ્છમાં 16 કેસ, ગાંધીનગર કોર્પોરેશન અને મોરબીમાં 13-13 કેસ,વલસાડમાં 12 કેસ,ભાવનગર કોર્પોરેશનમાં 11 કેસ પાટણમાં 10 કેસ, અરવલ્લી,સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 8-8 કેસ, તાપીમાં 7 કેસ, રાજકોટમાં 6 કેસ,અમરેલી, જામનગર કોર્પોરેશન,અને નવસારીમાં 5-5 કેસ, અમદાવાદ,આણંદ , ભરૂચ, ગીર સોમનાથ,મહીસાગર,અને પોરબંદરમાં 4-4 કેસ, બનાસકાંઠા અને ખેડામાં 3-3 કેસ, જામનગર અને પંચમહાલમાં 2-2 કેસ, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયો છે

(7:27 pm IST)