Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદતની હડતાલ પર જવા TDOને આપ્યુ આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યનાં તલાટી- મંત્રીઓએ આવતીકાલે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવા બાબતે આજરોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તલાટી,મંત્રીઓએ તાલુકા વિકાસ અધિકારી ને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તારીખ 2 ઓગસ્ટ થી તમમાં તલાટી કમ મંત્રીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી તથા તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરી માં રાષ્ટ્રધ્વજ માન સન્માન સાથે ફરકાવશે આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી 2 ઓગસ્ટ થી અચોક્કસ મુદતની હડતાળ પર તમામ તલાટી કમ મંત્રીનો પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી જશે જેની નોંધ લેવા ટીડીઓને આવેદનપત્રમાં જણાવ્યું હતું.
આમ નર્મદા જિલ્લના તમામ તાલુકા મથકે તલાટીઓ એ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જ્યારે 2 ઓગસ્ટે હડતાળ સાથે જિલ્લા કલેકટરને પણ આ બાબતનું આવેદનપત્ર આપશે તેમ જાણવા મળ્યું છે.

(10:42 pm IST)