Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે પ્રાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સમિતિ ( SPCA )ની બેઠક મળી

નર્મદા જીલ્લામા પાંજરાપોળ બનાવવા માટેના ચક્રો ગતિમાન 5 એકર જમીનમા બનશે પાંજરાપોળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા પ્રાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સમિતિ ( SPCA  ) ની વાર્ષિક સામાન્ય સભા જીલ્લા વિકાસ અધિકારી પલાસણાની અધયક્ષતામા કલેકટરાલય ખાતેના કોન્ફરન્સ હોલ ખાતે મળી હતી જેમાં નર્મદા જીલ્લા પશુ પાલન નિયામક દવે , ડી.વાય એસ પી હેડકવાર્ટર શ્રીમતી ચૌધરી, નર્મદા વન વિભાગ ના એ.સી.એફ.ટોપિયા,રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડીયા,કમિટીના વાઇસ ચેરમેન સ્વામિ નિશ્રચલાનંદજી સહિત મેનેજીંગ કમિટી મેમ્બર આશિક પઠાણ , ગૌસેવક ધર્મેનદર ખત્રી , વી. એચ પી .અગ્રણી અજીતસિંહ રાઠોડ સહિતના કમિટી મેમ્બર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લાંબા સમય પછી મળેલ  આ સભામાં નર્મદા જીલ્લામા એક પણ પાંજરાપોળ અસ્તિત્વમા ન હોય તેમજ પશુ ઓની ગેરકાયદેસર થતી હેરાફેરી મા પકડાતા પશુઓ સહિત બિમારીમા સપડાતા પશુઓ સહિત રખડતાં ઢોરોની ભારે સમસ્યા હોય તેઓને કયાં મુકવાનો નર્મદા જીલ્લા મા એક મોટો પશ્ર હોય,પાંજરાપોળ દેડિયાપાડા તાલુકામાં બનાવવા માટે 5 એકર થી વધુ જમીન મેળવવા માટેના ઠરાવ ને બહાલી આપવામાં આવી હતી.
આ માટે સરકાર ના સંલગ્ન વિભાગો સાથે પરામર્શ કરી જમીન મેળવવાનુ સભામા સર્વાનુમતે નક્કી કરાયુ હતું.
પ્રાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સમિતિ ની બેઠક મા એજન્ડા મુજબ ની કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમા નર્મદા જીલ્લા મા એક ઓથોરાઇઝડ પર્સન ની નિમણુંક કરવાની હોય જેમાં આશિક પઠાણ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ના અગ્રણી અને આગેવાન અજીતસિંહ રાઠોડ ના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી જેને ગૌસેવક ધર્મેન્દ્ર ખત્રી એ ટેકો આપ્યો હતો. આમ અજીતસિંહ રાઠોડ ની ઓથોરાઇઝડ પર્સન તરીકે ની નિમણુંક કરાઇ હતી.
અધ્યક્ષ સ્થાને થી બોલતા જીલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે પ્રાણી ક્રુરતા અત્યાચાર એ એક સેન્સેટીવ મુદ્દો છે,સમિતિના દરેક સદસ્યોને એનિમલ પર અત્યાચાર ન થાય એ જોવા કટિબદ્ધ બનવાનુ આહવાન કર્યુ હતુ. નર્મદા જીલ્લામા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં દેડિયાપાડા અને સાગબારા તાલુકાઓ એપિક સેન્ટર હોય ને અચાનક પોલીસ વિભાગ ડ્રાઇવ કરી વાહનો નુ ચેકીંગ હાથ ધરે તો પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

(10:06 pm IST)