Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ભારત સ્થિત બ્રાઝીલના રાજદૂત શ્રીમાન આંદ્રે અરન્હા કોરેયા દો-લાગોએ શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ભારત સ્થિત બ્રાઝીલના રાજદૂત શ્રીમાન આંદ્રે અરન્હા  કોરેયા દો-લાગોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાતત્યપૂર્ણ વિકાસ અને વાસ્તુકલા જેવા વિષયો ઉપરના પુસ્તકોના લેખક એવા રાજદૂત આંદ્રે અરન્હા કોરેયા દો-લાગોએ રાજ્યપાલશ્રી સાથેની મુલાકાત દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી. રાજ્યપાલએ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી તેમનું રાજભવન ખાતે સ્વાગત કર્યું હતું.

(7:34 pm IST)