Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કાલે ગાંધી જયંતિએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પોરબંદરમાં : ગાંધી જન્મસ્થળ- કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભામાં ભાગ લેશે

સ્વચ્છતા યાત્રાને કરાવશે ફ્લેગ ઓફ: નવનિર્મિત નગરપાલિકા બિલ્ડીંગ અને નવનિર્મિત ચિલ્ડ્રન હોમનું લોકાર્પણ કરશે

અમદાવાદ :  રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૨મી જન્મજયંતી નિમિત્તે આવતી  કાલ 2 ઓકટોબર શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદરની મુલાકાત લેવાના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધી જન્મસ્થળ-કીર્તિ મંદિર ખાતે ગાંધી જયંતિના ઉપલક્ષમાં આયોજીત પ્રાર્થના સભામાં સવારે આઠ વાગ્યે ભાગ લેશે.
મુખ્યમંત્રી પ્રાર્થના સભા બાદ કિર્તિ મંદિર ખાતેથી ‘સ્વચ્છતા યાત્રાને પણ ફ્લેગ ઓફ કરાવશે.
 ભૂપેન્દ્રભાઇ પટેલ પોરબંદર- છાયા નગરપાલિકાના રૂ. ૬.૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડીંગ અને રૂ. ૪.૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત ચિલ્ડ્રન હોમનું પણ લોકાર્પણ કરવાના છે
મુખ્યમંત્રી ત્યારબાદ સાંદિપની આશ્રમમાં  ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઇ ઓઝાની મુલાકાત લેવાના છે.

(9:02 pm IST)