Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ગોધરા માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને પાકને ઢાંકી ગોડાઉનમાં સાચવી રાખવા સુચના

સમગ્ર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી ચાલુ હોવાથી જણસને વરસાદથી બચાવવા ખેડૂતોને સૂચના અપાઈ

અમદાવાદ :ગુજરાતમાં આગામી બે દિવસમાં માવઠાની આગાહીના પગલે ખેડૂતોને ગોધરા માર્કેટ યાર્ડ તરફથી અપીલ કરાઈ છે. ખેડૂતોના જણસને કમોસમી વરસાદથી બચાવવા તાડપત્રીઓ ઢાંકી ગોડાઉનમાં સાચવી રાખવા સુચના અપાઈ છે. તેમજ હાલ સમગ્ર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી ચાલુ હોવાથી જણસને વરસાદથી બચાવવા ગોડાઉનમાં મુકી રાખવા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે.

તેમજ શક્ય હોય તો બે દિવસ પાકને બજારમાં ન લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત એપીએમસીમાં ખુલ્લામાં રાખવામાં આવેલા માલને પણ ઢાંકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

(9:56 pm IST)