Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સુરતમાં કોરોનાનો કહેર યથાવત : શહેરમાં નવા 464 અને જિલ્લામાં 151 કેસ નોંધાયા: 4 દર્દીઓના મોત

શહેરમાં 614 અને જિલ્લામાં 101 દર્દીઓને કોરોનાને મ્હાત આપી

 સુરત : સુરત શહેરમાં કોરોનાના નવા 464 કેસ નોંધાયા છે જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના 151 દર્દીઓ નોંધાયા છે. સિવાય સુરત શહેરમાં અને જિલ્લામાં કોરોનાને કારણે ચાર વ્યક્તિના મોત થતા કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 1180 થઇ ગઇ છે. આજે સુરત શહેરમાં કોરોનાના 614 દર્દીને રજા આપવામાં આવી છે અને સુરત જિલ્લામાં 101 દર્દી કોરોનાને હરાવવામાં સફળ રહેતા તેમને પણ રજા આપવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં એક પણ આઇસીયુ બેડ ખાલી નથી અને સરકારી હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. આવા સંજોગોમાં સતર્કતા રાખીને લોકોને ભીડ વાળી જગ્યા પર જવા તેમજ માસ્ક પહેરવા અને વારંવાર સેનેટાઇઝરથી હાથ ધોવા માટે પણ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે.

(8:57 pm IST)