Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

અમદાવાદના દેત્રોજ નજીક રસ્તા પર કાર અગમ્ય કારણોસર સળગી ઉઠતા દોડધામ મચી જવા પામી

અમદાવાદ:જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સહિત મુખ્ય માર્ગ ઉપર અવારનવાર કાર સળગી ઉઠવાના બનાવો વધી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લાના દેત્રોજ પાસે એસ્સાર પેટ્રોલપંપ પાસે અચાનક ચાલુ કાર સળગી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે, સદનસીબે કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો.

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કડી ખાતે રહેતા રોનકભાઈ પટેલ તેમની પત્ની અને પુત્રી સાથે આઇ-૧૦ કાર લઈ પોતાના વતન તાલુકાના ઝાઝરવા ગામે જઈ રહ્યા હતા ત્યારે દેત્રોજ ગામ પાસે આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પાસે ચાલુ કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જો કે સમયસૂચકતા વાપરી કારચાલક રોનકભાઈ કારમાં બેઠેલ પત્ની અને પુત્રીનો આબાદ બચાવ થયો હતો અને ગણતરીની મિનિટોમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ દેત્રોજ પોલીસને થતાં ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

(5:34 pm IST)