Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવની લીધી મુલાકાત

આંતરરાષ્ટ્રીય ફલક પર વૈશ્વિક ધરોહર તરીકે જાણીતી અને કલાપ્રેમીઓની માનીતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવની મુલાકાત વેળા શિક્ષણમંત્રી,સહકાર મંત્રી, કલેકટર સહિતના ઉપસ્થિત રહ્યાં

અમદાવાદ : ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી પાટણમાં થઈ રહી છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આંતરરાષ્ટ્રીય ફલક પર વૈશ્વિક ધરોહર તરીકે જાણીતી અને કલાપ્રેમીઓની માનીતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવની મુલાકાત લીધી હતી.
આ વેળાએ શિક્ષણમંત્રી  જીતુભાઇ વાઘાણી, સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, કલેકટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

   
 
   
(10:43 pm IST)