Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ગુજરાત પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્‍ટેટ બનીને દેશના ખેડૂતોને પ્રેરિત કરશે : રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી

આઝાદી કા અમૃત મહોત્‍સવ અન્‍વયે જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરતા રાજ્‍યપાલ : પ્રાકૃતિક પ્રદેશોના સ્‍ટોલની મુલાકાત લઇ ખેડૂતોની આત્‍મનિર્ભરતામાં સહયોગી બનવા અપીલ કરતા રાજ્‍યપાલ તથા કૃષિમંત્રી : ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને સમૃધ્‍ધ ભારતનું નિર્માણ કરે : કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ :રાસાયણિક કૃષિના દુષ્‍પરિણામોથી દેશને મુકત કરવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે : પ્રાકૃતિક કૃષિથી ઉત્‍પાદન ઘટતુ નથી : આત્‍મનિર્ભર ખેડૂત અને આત્‍મનિર્ભર રાષ્‍ટ્રના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્‍યપાલશ્રીનો અનુરોધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૨:  ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરતાં જણાવ્‍યું હતું કે, ગુજરાત રાજય પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્‍ટેટ બનીને દેશના ખેડૂતોને પ્રેરિત કરશે. તેમણે જણાવ્‍યું હતું કે, અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્‍તિ અપાવી એજ રીતે જનશક્‍તિના સામર્થ્‍યથી રાસાયણિક કૃષિના દુષ્‍પરિણામોથી દેશને મુક્‍તિ અપાવવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે.

જામનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અન્‍વયે જિલ્લા પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરાવતા રાજયપાલશ્રીએ જણાવ્‍યું હતું કે, આજે સમગ્ર વિશ્વ રાસાયણિક કૃષિના દુષ્‍પરિણામથી ત્રસ્‍ત છે, ગ્‍લોબલ વોર્મિંગની સમસ્‍યામાં ૨૪ % જેટલો ફાળો રાસાયણિક કૃષિનો છે, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થઇ રહ્યા છે. જમીનની ફળદ્રુપતા દ્યટતા જમીન બંજર બની રહી છે. રાસાયણિક કૃષિથી ઉત્‍પન્ન થતાં દુષિત ખાધાન્નના કારણે લોકો કેન્‍સર, ડાયાબિટિસ, હૃદયરોગ જેવા અસાધ્‍ય રોગોના ભોગ બની રહ્યા છે, રાસાયણિક કૃષિમાં દિન-પ્રતિદિન કૃષિ ખર્ચ વધતો જાય છે અને ઉત્‍પાદન ઘટતું રહ્યું છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્‍થિતિ કથળી રહી છે. રાસાયણિક કૃષિના આ દુષ્‍પરિણામોમાંથી મુક્‍તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્‍પ હોવાનું રાજયપાલશ્રીએ જણાવ્‍યું હતું.

પ્રાકૃતિક કૃષિથી અનેક લાભ મળે છે તેની વિગતો આપતા રાજયપાલશ્રીએ જણાવ્‍યું હતું કે, પ્રાકૃતિક કૃષિ થી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. એક દેશી ગાયની મદદથી ૩૦ એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે તેના કારણે કૃષિ ખર્ચ નહિવત થાય છે અને ઉત્‍પાદનમાં દ્યટાડો થતો નથી. પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્‍પાદિત કૃષિ પેદાશોના ભાવ પણ પ્રમાણમાં વધુ મળે છે અને સરવાળે ખેડૂતોની આર્થિક સ્‍થિતિ મજબૂત થાય છે.

પ્રાકૃતિક કૃષિથી ઉત્‍પાદન દ્યટતું નથી એમ સ્‍પષ્ટ જણાવતા રાજયપાલશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના બીજામૃત, જીવામૃત, દ્યનજીવામૃત, વાપ્‍સા, મલ્‍ચીંગ અને મિશ્ર પાકના સિદ્ધાંતને અનુસરીને પૂર્ણ વિધિથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ઉત્‍પાદન દ્યટતું નથી પરંતુ જમીનના ઓર્ગેનિક કાર્બનમાં એક જ વર્ષમાં નોંધપાત્ર વધારો થાય છે, જમીન ફળદ્રુપ બને છે અને ઉત્‍પાદનમાં વધારો થાય છે. કચ્‍છના પ્રગતિશીલ ખેડૂત મનોજભાઈ સોલંકી અને આશાપુરા ફાર્મના હરીશભાઈ ઠક્કરનું ઉદાહરણ આપતા રાજયપાલશ્રીએ કહ્યું હતું કે, ૪૦૦ એકર ફાર્મમાં પ્રાકૃતિક કૃષિ અપનાવીને હરીશભાઈએ એક જ વર્ષમાં ઉત્‍પાદનમાં ૧૫ ટકાનો લાભ મેળવ્‍યો હતો એટલું જ નહીં ખાતર અને જંતુનાશક દવાઓનો રૂપિયા એક કરોડ સુધીનો ખર્ચ તેઓ બચાવી શક્‍યા છે. રાજયપાલશ્રીએ જણાવ્‍યું હતું કે, રાસાયણિક ખાતર પાછળ કેન્‍દ્ર સરકાર ૧ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયાની સબસીડીનો આર્થિક બોજો વહન કરે છે.

આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે ધરતી પુત્રોને પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી આપી ખેડૂતોને આ દિશામાં પ્રયાણ કરી સમૃદ્ધ ભારત બનાવવા આહવાન આપ્‍યું હતું. આ ઉપરાંત,ᅠ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને સમજાવી હતી અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રદર્શનમાં સહભાગી થવા બદલ આભાર માન્‍યો હતો. જામનગરનાᅠ આત્‍મા પ્રોજેક્‍ટની પ્રશંસા કરી, જામનગર જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક કૃષિ સાથે વધુમાં વધુ ખેડૂતોને જોડવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. જયારે રાજય સરકાર ખેડૂતો માટે વાવેતરથી લઈને ટેકાના ભાવ આપવા સુધીની તમામ મદદ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, , જગતના તાત પ્રાકૃતિક ખેતી અપનાવીને વિદેશી ખાતરોની આયાત પાછળ થતો ખર્ચ બચાવી શકે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતુંᅠ કે, રાસાયણિક ખાતરમાં સબસીડી ચુકવવા માટે કેન્‍દ્ર સરકારᅠમોટો ખર્ચ કરે છે, જેનો દેશ પર આર્થિક બોજો વધે છે.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્‍ય શ્રી ધરમેન્‍દ્રસિંહ જાડેજા, મેયર શ્રી બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશી ચનીયારા, પૂજય શ્રી દેવપ્રસાદજી મહારાજ, નવતનપુરી ધામના મહંતશ્રી, જિલ્લા ભાજપ અધ્‍યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર અધ્‍યક્ષ વિમલભાઈ કાગઠરા, પૂર્વ ધારાસભ્‍ય શ્રી મેઘજીભાઈ ચાવડા,ᅠ પ્રભારી સચિવ શ્રી નલિન ઉપાધ્‍યાય, જામનગર મહાનગરપાલિકા કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી રાયજાદા, જિલ્લા ખેતીવાડીના અધિકારીશ્રીઓ, આત્‍મા પ્રોજેકટના ડાયરેક્‍ટર શ્રી તથા અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્‍યામાં ખેડૂતો ભાઈઓ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:41 pm IST)