Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સુરતમાં AAPના કોર્પોરેટરો પર જીવલેણ હુમલો કરાયો : ઈસુદાન ગઢવીનો મોટો આરોપ

આરોપીઓ સામે પોલીસ 307, 120 B અંતર્ગત કાર્યવાહી તંત્ર કરે: સમગ્ર મામલે DGP સમક્ષ તટસ્થ તપાસની માગ કરી

સુરતમાં AAPના કોર્પોરેટરને માર મારવાનો મામલે AAP નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. ગઢવીએ કહ્યું છે કે ગુજરાતમાં UP, પ.બંગાળ અને બિહાર જેવી સ્થિતિ પેદા થઈ છે. સુરતમાં AAPના કોર્પોરેટર અને પોલીસની મારામારીની ઘટનાને વખોડી જણાવ્યું કે AAPના કોર્પોરેટરો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આરોપીઓ સામે પોલીસ 307, 120 B અંતર્ગત કાર્યવાહી તંત્ર કરે. સમગ્ર મામલે DGP સમક્ષ તટસ્થ તપાસની માગ પણ કરી હોવાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી.

   
 
   
(7:51 pm IST)