Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

આમલેથા મોટા ફળિયામાં ઉછીના આપેલા 500 રૂપિયા બાબતે મારા મારી : બે શખ્શો સામે ફરિયાદ નોંધાઇ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અમલેથા ગામના મોટા ફડિયા ખાતે ઉછીના આપેલા રૂપિયા પરત ન કરનાર સાથે બોલાચાલી બાદ મારા મારી થતાં આમલેથા પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

મળતી માહિતી મુજબ નટવરભાઇ દોરીયાભાઇ વસાવા(રહે.આમલેથા મોટા ફળીયા)ની ફરિયાદ અનુસારનન્નુભાઇ રાનીયાભાઇ વસાવાએ તેમને રૂપિયા ૫૦૦ ઉછીના આપેલ જે રૂપિયાની અવારનાવર ઉઘરાણી કરતા નટવરભાઈ એ જણાવેલ પૈસાની વ્યવસ્થા થઇ જશે એટલે પૈસા આપી દઈશ તેમ છતા નન્નુભાઇ ઉઘરાણી કરતો હોવાથી તમને જણાવેલ કે, મારી પત્ની મજુરી કામે રાજપીપલા ગયેલ છે તે ઘરે આવશે એટલે હું તને પૈસા આપી દઇશ તેમ કહેતા તેઓ એકદમ ઉશકેરાઇ ગયેલો અને ગમે ગાળો બોલવા લાગતા  તેનું ઉપરાણુ લઈને
નાનજીભાઇ રાનીયાભાઇ વસાવા લાકડી લઈને દોડી આવી લાકડીનો સપાટા મારી ઇજાઓ પહોંચાડતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 
(10:39 pm IST)