Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના’’જન સમસ્યાઓનો સ્થળ પર નિકાલઃ સેવા સેતુ

છેવાડાનો સાચો લાભાર્થી રાજય સરકારની યોજનાનાના લાભોથી વંચિતન રહે એ જ અમારો નિર્ધાર : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ : મહેસાણા અને જોરણાગ ખાતે સંવેદના દિવસ અંતર્ગત "સેવાસેતુ" કાર્યક્રમનો શુભારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ : મુખ્યમંત્રી બાળ સેવા યોજના'ના લાભાર્થી બાળકો સાથે સંવેદનાસભર સંવાદ યોજી તેમની સાથે ભોજન કરતા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ : મુખ્યમંત્રી બાળ સેવા યોજના'ના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આર્થિક સહાય નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા અર્પણ કરાઇ

id="m_3958476652706621331gmail-:200">
મહેસાણા અને જોરણંગ ખાતે સંવેદના દિવસ -સેવા સુતા કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના દરમિયાન વાલીનું છત્ર ગુમાવનાર બાળકોના વાલી બની નોંધારાનો આધાર આ સરકાર બની છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં સુશાશન દિવસની ઉજવણી નહિ પરંતુ જનહિતકારી યોજનાઓને થકી છેવાડાનો માનવીનો વિકાસ થાય તે અમારો ધ્યેય છે.
  નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે કોરોનાના આ કપરા સમયમાં વિકાસયાત્રાને અટકવા દીધી નથી. રાજ્યમાં દોઢ લાખ કરોડથી વધુ વિકાસના કામો થઇ રહ્યા છે તેમ જણાવી ઉમેર્યું હતું કે ગુજરાતનો વિકાસ,પ્રગતિ,સુખ શાંતિ,સલામતી અને ગૌરવ આગળ વધે તે કાર્યપ્રણાલીથી સરકાર સૌના સાથ સૌના વિકાસથી કામ કરી રહી છે
 નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે કોરોનાની મહામારીમાં હજારો વ્યક્તિઓને જીવન ગુમાવ્યું છે તેમના બાળકો પ્રત્યે સંવેદના દાખવી માસિક રૂ ૪૦૦૦ અને કોઇ એક વાલી અવસાન પામલે હોય તો માસિક રૂ.૨૦૦૦ની સહાય સરકાર દ્વારા આપવાની શરૂઆત થઇ છે. મહેસાણા જિલ્લામાં ૧૩૨ જેટલા બાળકોની ઓળખ થઇ છે જેઓને  આ સહાય અપાઇ રહી છે.
 નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે કોરોના સમયમાં પ્રજાને મુશ્કેલી કે અગવડ વેઠવી ન પડે તે માટે સરકારે અનેક કાર્યો કર્યા છે. આત્મનિર્ભર યોજના,વીજળીના બીલની માફી,હોસ્પિટલોની સુવિધા,આરોગ્યની સુખાકારી સુવિધાઓમાં કટિબધ્ધતા સહિત દેશના પ્રધાનમંત્રીનરેન્દ્રભાઇ મોદી દ્વારા ૮૦ કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી સંવેદના દાખવી છે.
 નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસને વરેલી છે. ખેડુતો,વંચિતો અને છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં ટેકનોલોજીના સમનવ્યથી સરકાર આગળ વધી રહી છે.તેમણે ઉમેર્યું હતું કે ભુતકાળમાં ગામડાઓના વિકાસ તરફ દુર્લક્ષ્ય સેવાતું હતું પરંતુ આ સરકારે ગોકળીયુ ગામ,જ્યોતિ ગ્રામ યોજના સહિત અનેક વિધ ગ્રામલક્ષી યોજનાથી ગામડાઓનો વિકાસ થાય તે દિશામાં કામ કરી રહી છે.ગામડાઓમાં વતન પ્રેમ યોજના વિકાસના કામો માટે ૪૦ ટકા રકમ આપી ગામડાઓનો વિકાસ થાય તે માટે આ યોજના અમલમાં મુકાઇ છે તેમ જણાવી વતન પ્રેમ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.
 નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે રાજ્યના નાગરિકોને સુખી, સમૃધ્ધ ,શાંતિ, સલામતીનો અનુંભવ સરકારના નેતૃ્ત્વમાં થઇ રહ્યો છે.રાજ્ય સરકાર દેશના પ્રધાનમંત્રીના માર્ગદર્શનથી સૌના સાથ,સૌના વિકાસ અને સૌનો વિશ્વાસથી જનજનને લોકશાહિની પ્રતિતિ થઇ રહી છે.
 આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના'ના લાભાર્થી બાળકો સાથે સંવેદનાસભર સંવાદ યોજી  તેમની સાથે મહેસાણા શહેર ખાતે ભોજન કર્યું હતું.આ ઉપરાંત બાળ સેવા યોજનાના લાભાર્થીઓને સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં સેવા સેતુ અંતર્ગત વિવિધ પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લાભાર્થીઓને રેગ પીકર્સ આરોગ્ય રક્ષણ કીટ સહિત ગંગા સ્વરૂપા આર્થિ સહાય યોજનાઓના હુકમ આપવામાં આવ્યા હતા.
 કાર્યક્રમમાં નવપરણિત યુગલ રીતેશ અને માનસી મોદી સાથે મુલાકાત કરી તેમણે લગ્ન પ્રમાણપત્ર સ્થળ પર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસની  મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યના કાર્યકરો ,નાગરિકો તેમજ વહીવટીતંત્ર વતી શુભકામનાઓ પાઠવી હતી.
 કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,અગ્રણી જશુભાઇ પટેલ,નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ,પુર્વ સંસદ નટુજી ઠાકોર,એ.પી.એમ.સી ચેરમેન ખોડ઼ાભાઇ પટેલ,પુર્વ મંત્રી ઇશ્વરસિંહ મકવાણા,નગરપાલિકા ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇ,કારોબારી સમિતિના કૌશિકભાઇ વ્યાસ,અગ્રણી જે.એફ,.ચૌધરી,મુકેશભાઇ પટેલ,જીવાભાઇ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનાસદસ્યઓ,અધિકારીઓ,પદાધિકારીઓ, લાભર્થીઓ અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
(6:58 pm IST)