Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ગિફટ સિટીમાં વધી સવલતોઃ IIBXના લીધે કસ્‍ટમ ક્‍લીયરન્‍સના ૪ કલાકમાં અમદાવાદમાં સોનાની ડિલીવરી

NSE IFSC-SGX કનેક્‍ટના લીધે સિંગાપોરમાં થતા ફયુચર કોન્‍ટ્રાક્‍ટ હવે ગિફટ સિટીમાં થઇ શકશે : ગુજરાતના ૧૪ સહિત દેશના ૬૪ ક્‍વોલિફાય્‍ડ જવેલર્સ અત્‍યારે IIBX પર નોંધાયાઃ જવેલર્સ ગોલ્‍ડનો ભાવ જાતે નક્કી કરી શકશે, નાણા અને સમયની બચતથી ફાયદો

ગાંધીનગર,તા.૨:ગત ૨૯ જુલાઈ ના રોજ ગાંધીનગર ગિફટ સીટી ખાતે દેશના પ્રથમ ઇન્‍ડિયા ઇન્‍ટરનેશનલ બુલીયન એક્‍સચેન્‍જ (IIBX) તેમજ NSC IFSC-SGX કનેક્‍ટને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા લોન્‍ચ કરવામાં આવ્‍યા હતા. તેના લીધે હવે બુલીયન ટ્રેડીંગ અને ફયુચર ટ્રેડીંગમાં વધુ સવલતો મળી શકશે. ભારતને સોનાના વૈશ્વિક ટ્રેડીંગ બજારમાં એક પ્રભાવી દેશ તરીકે પ્રસ્‍થાપિત કરવાની દિશામાં આ ત્‍ત્‍ગ્‍હ્‍ એક મહત્‍વપૂર્ણ નિર્ણય છે અને ગુજરાતના જવેલર્સ માટે આ એક્‍સચેન્‍જ અત્‍યંત મહત્‍વપૂર્ણ બની રહેવાનું છે.

IIBXના એમડી અને સીઈઓ અશોક ગૌતમે જણાવ્‍યું, આ એક્‍સચેન્‍જના લીધે હવે રાજયમાં જ ત્રણ વોલ્‍ટ બનાવવામાં આવ્‍યા છે. તેનાથી સોનાની ડિલીવરી લેવા માંગતા ક્‍વોલિફાય્‍ડ જવેલર્સને સાવ ઓછી સમયમર્યાદામાં ગોલ્‍ડ મળી જશે. કસ્‍ટમ ક્‍લિયરન્‍સ થયાના ચાર કલાકમાં અમદાવાદમાં ગોલ્‍ડ ડિલીવરી મળી જશે તેવી વ્‍યવસ્‍થા છે. તે સિવાય રાજયના અન્‍ય શહેરોમાં પણ એક દિવસની અંદર ડિલીવરી પહોંચી જશે. તેનાથી સમયની બચત થશે અને વધારે પ્રીમીયમ માટે અગાઉ જે નાણા ચૂકવવાના થતા હતા તેમાં પણ જવેલર્સને રાહત મળશે.

અગાઉની વ્‍યવસ્‍થા અનુસાર જવેલર્સને ગોલ્‍ડનું ટ્રેડીંગ કરવું હોય તો અધિકૃત બેન્‍કોની વ્‍યવસ્‍થા મારફતે કરવાનું રહેતું હતું. તેમજ આંતરરાષ્ટ્રીય સેલરના નિયમ અનુસાર ૩૦ દિવસનો કન્‍સાઇનમેન્‍ટ પીરીયડ રહેતો હતો . તેમાં અગાઉથી પ્રીમીયમ ચૂકવવું પડે છે અને માલના જથ્‍થો પણ નક્કી કરીને ઉઠાવવો પડે છે. ઘણી વખત જો સ્‍થાનિક જવેલર્સને માલની ખપત એટલી ના રહે તો પણ તે જથ્‍થો ઓછો કરી શકાતો નથી. જયારે ત્‍ત્‍ગ્‍હ્‍દ્ગક્ર લીધે હવે જવેલર્સને સીધા સપ્‍લાયર અહીં જ મળી રહે છે અને જે ભાવ અત્‍યારે ચાલતો હોય તે અનુસાર નક્કી કરીને તાત્‍કાલિક જ ડિલીવરી લઇ શકે છે.ᅠ

IIBX પર અત્‍યારે ભારતના ૬૪ ક્‍વોલિફાય્‍ડ જવેલર્સે રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે, જેમાંથી ૧૪ ગુજરાતના છે. અહીં રજીસ્‍ટ્રેશન કરાવવા માટે ૨૫ કરોડનું ટર્નઓવર હોવું જરૂરી છે. આ એક્‍સચેન્‍જથી હવે ગુજરાતના જવેલર્સને તહેવારોની સીઝનમાં જયારે માંગ વધારે હોય ત્‍યારે તાત્‍કાલિક ડિલીવરીથી તેમને કમિશન અને એજીંગ કોસ્‍ટમાંથી છૂટકારો મળશે અને તેમના નાણા લાંબા સમય સુધી રોકાયેલા નહિં રહે. જવેલર પોતે પ્રાઇઝ રજૂ કરી શકશે. અગાઉની વ્‍યવસ્‍થામાં લંડન કે ન્‍યૂયોર્કના કોમેક્‍સ મારફતે બેન્‍કોને જે ક્‍વોટ મળતો એ જ લઇ લેવાનો રહેતો હતો. હવે બાયર સીધું સેલરને ક્‍વોટ આપી શકશે. તેના લીધે બેન્‍કો કે અન્‍ય નાણાકીય સંસ્‍થાઓને આપવાના કમિશનના ખર્ચામાં પણ બચત થશે.

બુલીયન એટલે ઉચ્‍ચતમ ગુણવત્તાનું સોનું અથવા ચાંદી જેને બાર, લગડી અથવા સિક્કા તરીકે રાખવામાં આવે છે. બુલીયનને અમુક વખતે કાયદેસર ચલણ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને કેન્‍દ્રીય બેન્‍કો અને રોકાણકારી સંસ્‍થાઓમાં તેને રિઝર્વ તરીકે રાખવામાં આવે છે.

બુલીયન એક્‍સચેન્‍જ એવું પ્‍લેટફોર્મ છે જેના પર સોના અને ચાંદીનું ટ્રેડીંગ થઇ શકે છે. વૈશ્વિક સ્‍તરે લંડન બુલીયન માર્કેટ એક મહત્‍વપૂર્ણ માર્કેટ છે. રિપોર્ટ્‍સ અનુસાર સોનાના ઉપયોગમાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે. ૨૦૨૧માં ભારતે ૧૦૬૯ ટન સોનાની આયાત કરી હતી. સોનાની ખપતમાં ચીન સૌથી મોખરે છે.

ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ ભારતમાં બુલિયનની આયાત માટેનું પ્રવેશદ્વાર બનશે. સ્‍થાનિક વપરાશ માટે તમામ બુલિયનની આયાત એક્‍સચેન્‍જ દ્વારા ચેનલાઈઝ કરવામાં આવશે. ધ ઇન્‍ડિયા ઇન્‍ટરનેશનલ બુલીયન એક્‍સચેન્‍જ એ વિશ્વમાં આ પ્રકારનું ત્રીજું એક્‍સચેન્‍જ છે. બુલીયનની કિંમતોમાં ભારત એક પ્રભાવી દેશ બને તે હેતૂથી તેનું નિર્માણᅠ આવ્‍યું છે.

આ એક્‍સચેન્‍જના નિર્માણથી બુલીયન માર્કેટમાં એક વ્‍યવસ્‍થિત માળખું ઉભું થશે. અહીં રત્‍નકારોની નોંધણી થઇ શકશેᅠ અને સોનાની કિંમતોમાં વધુ પારદર્શિતા લાવવામાં આવશે. નાના બુલીયન ડીલર્સને પણ અહીં યોગ્‍ય તકો મળે તેના માટે પણ આ એક્‍સચેન્‍જ સરળતા લાવશે.ᅠ

૨૦૧૮માં નીતિ આયોગે આ પ્રકારના એક્‍સચેન્‍જ અને એક ઇકોસિસ્‍ટમના નિર્માણ માટેનું સૂચન કર્યું હતું. નાણાં મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમને તે અંગે ૨૦૨૦-૨૧ના કેન્‍દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી અને ત્‍યાર બાદ ડિસેમ્‍બર ૧૧, ૨૦૨૦ના ઇન્‍ટરનેશનલ ફાયનાન્‍શિયલ સર્વિસ સેન્‍ટર ઓથોરિટી રેગ્‍યુલેશન્‍સ સૂચિત કરવામાં આવ્‍યા હતા જે અંતર્ગત બુલીયન એક્‍સચેન્‍જ, ક્‍લિયરીંગ કોર્પોરેશન, ડિપોઝીટરી અને વોલ્‍ટનું સંચાલન કરવામાં આવે છે.

અત્‍યારની વ્‍યવસ્‍થા અનુસાર નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જના ડેરીવેટીવ્‍સ સિંગાપોરના સ્‍ટોક એક્‍સચેન્‍જ પ્‍લેટફોર્મ પર ટ્રેડ થાય છે. સિંગાપોરના સ્‍ટોક એક્‍સચેન્‍જને લ્‍ઞ્‍હ્‍ કહેવાય છે અને તે ફયુચર ટ્રેડીંગ પ્‍લેટફોર્મ છે. હવે એક સમજૂતિ અનુસાર ગિફટ સિટીમાંજ NSE IFSC-SGX કનેક્‍ટ શરૂ થયું છે તેથી સિંગાપોરમાં જે નિફટી ફયુચર કોન્‍ટ્રાક્‍ટ ટ્રેડ થતા હતા તે અહીં થઇ શકશે. તેના લીધે રોકાણકારોને ગિફટ સિટીમાં મળતા ટેક્‍સ રાહતના ફાયદા મળશે અને રિયલટાઇમ ટ્રેડિંગ થઇ શકશે. ગિફટ સિટીનું ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિશ્વકક્ષાનું હોવાથી અહીં વધુ રોકાણકારોનું આગમન થશે અને અમદાવાદને એક વૈશ્વિક નાણાકીય કેન્‍દ્ર બનશે.

(3:13 pm IST)