Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

અમદાવાદ સહીત નગરોમાં વકરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 874 નવા કેસ નોંધાયા:વધુ 1030 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10,970: કુલ 12.39.423 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2.68.820 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 6257 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 874 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 1030 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.39.423 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.970 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.63 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 2.68.820 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.71.16.059 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 6257 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 13 દર્દી વેન્ટિલેટર પર છે,અને 6244 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 874 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 287 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 92 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 41 કેસ,વડોદરામાં 38 કેસ,સુરત કોર્પોરેશનમાં 35 કેસ, ગાંધીનગરમાં 34 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 31 કેસ,પાટણમાં 26 કેસ,કચ્છ અને રાજકોટમાં 25-25 કેસ,મોરબીમાં 19 કેસ, સુરતમાં 18 કેસ,ભાવનગર કોર્પોરેશનમાં 16 કેસ, નવસારીમાં 15 કેસ,સાબરકાંઠામાં 14 કેસ, આણંદ અને વલસાડમાં 13-13 કેસ,અમરેલીમાં 12 કેસ,જામનગર કોર્પોરેશનમાં 9 કેસ, અમદાવાદ અને ભરૂચમાં 8-8 કેસ,અરવલ્લી, ગીર સોમનાથ, ખેડા અને પંચમહાલમાં 6-6 કેસ,જામનગરમાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 3 કેસ, જૂનાગઢ,અને પોરબંદરમાં 2-2 કેસ, બોટાદ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો હહે 

(7:53 pm IST)