Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

યાત્રાધામ ઢીમામાં ભાદરવી પૂનમે ભાવિકો ઉમટ્યા

શ્રદ્ધાળુઓએ ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝૂકાવ્યુ : ભવ્ય મેળામાં મહાલ્યા

બનાસકાંઠાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ અને મીની અંબાજીથી ઓળખાતા પવિત્ર યાત્રાધામ ઢીમાની અંદર લોકડાઉનને લઈને ચાર-પાંચ મહિનાઓથી પૂનમના દિવસે ભરાતા મેળોઓ મોકૂફ રાખવામાં આવ્યા હતા. જેને લઈને ભાદરવા મહિનાની પૂનમના દિવસે ધરણીધર ભગવાનનું મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. જેથી ભવ્ય મોટો લોકમેળો ભરાયો હતો. જેમાં યાત્રાળુઓ પણ દાદાના દર્શન કરવા ભાન ભૂલ્યા હતા કે કોરાના વાઈરસની બિલકુલ બીક રાખ્યા વગર યાત્રાધામ ઢીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝૂકાવવા ઉમટી પડ્યા હતા.

(9:21 pm IST)