Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સાગબારામાં એક સાથે ૦૪ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા

રાજપીપળા :નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં બુધવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા ના આદિત્ય માં ૦૨, લુહાર ચાલ ૦૧ નાંદોદના ઓરી ૦૧ , વડિયા ૦૧ અને ગરુડેશ્વર ના કેવડિયા કોલોની ૦૧ , સાગબારા માં ૦૪ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૧૦ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૬ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૨૧ દર્દીઓ દાખલ છે. આજે સજા થયેલ ૦૮ દર્દીઓ ને રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૨૪ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૬૮૧ પર પહોચ્યો છે.આજે વધુ ૪૨૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(9:56 pm IST)