Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજપીપળા અવધૂત મંદિર પાસે જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ જાહેરનામું લાગુ હોવા છતાં કેટલાક વાહન ચાલકો કાયદાનો અમલ કરતા હોવાથી પોલીસ કાયદેસર કાર્યવાહી કરી શબક શીખવાડે છે.
જેમાં ગતરોજ નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં રહેતા જાવેદ ભાઇ અજીમભાઇ સોલંકી પોતાના વાહનમાં ગે.કા. ચારથી વધારે માણસો બેસાડી જાહેરમાંનો ભંગ કરતા અવધૂત મંદિર પાસે ચેકીંગ માં ઉભેલા રાજપીપળા પો.સ્ટે.ના પીએસઆઇ એમ.બી. વસાવા તેમને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી

(12:24 am IST)