Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજયના ગાંધીનગર–મહેસાણા-પોરબંદર-આણંદના ૧૦૦ ટકા ગ્રામીણ ઘરોને મળશે નલ સે જલ : વિજયભાઇ રૂપાણી

ગાંધીજયંતિ એ ગુજરાતે પૂજય બાપુની ગ્રામોત્થાનની ભાવના ઉજાગર કરતા મુખ્યમંત્રી : ગાંધીનગરના ૩ લાખ ૧૦ હજાર ગ્રામીણ ઘરો : મહેસાણાના ૫ લાખ ૧૧ હજાર ગ્રામીણ ઘરો : આણંદના ૪ લાખ ૧ હજાર ગ્રામીણ ઘરો : પોરબંદર ના ૬૭ હજાર ગ્રામીણ ઘરો ને મળશે હર ઘર જલ યોજનાનો લાભ : મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો ઈ-શુભારંભઃ કેન્દ્રીય જળ શકિત મંત્રીશ્રીની વિડીયો કોન્ફરન્સથી ઉપસ્થિતિ : ૧૦૦ ટકા શૌચાલય યુકત ગુજરાત જેમ જ ૧૦૦ ટકા નલ સે જલ યુકત ગુજરાત બનાવીશું: મુખ્યમંત્રીશ્રીનો નિર્ધાર

ગાંધીનગર, તા. ર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પૂજય બાપુના ગ્રામોત્થાનના  સંકલ્પને સાકાર કરતા રાજયના ચાર જિલ્લાના ગામોમાં ૧૦૦ ટકા હર દ્યર જલ – નલ સે જલનો શુભારંભ કરાવ્યો હતો.

આ ચાર જિલ્લાઓમાં ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના ૩,૦૯,૮૨૬ ઘરોને, મહેસાણાના ૫,૧૦,૫૦૩ દ્યરોને, આણંદના ૪,૦૧,૪૦૯ ઘરોને તથા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના ૬૭,૫૭૨ ગ્રામીણ દ્યરોને દ્યર આંગણે જ શુદ્ઘ પીવાલાયક પાણી નળ દ્વારા મળતું થવાનું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ગૌરવ મય અવસરનો પ્રારંભ કેન્દ્રીય જલશકિત મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતની વિડીયો કોન્ફરન્સ દ્વારા દિલ્હીથી ઉપસ્થિતિમાં કરાવ્યો હતો .

આ ચારેય જિલ્લા મથકોએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત મંત્રીઓ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એવી સ્પષ્ટ નેમ વ્યકત કરી કે, ગુજરાતે જેમ ૧૦૦ ટકા શૌચાલય યુકત રાજય તરીકે ખુલ્લામાં શૌચક્રિયા મુકત રાજયનું ગૌરવ મેળવ્યું છે તેમ હવે ઘરે ઘરે નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પહોંચાડી ૧૦૦ ટકા હર દ્યર જલ આપનારુ રાજય પણ ગુજરાત ને બનાવવું છે.

 તેમણે કહ્યું કે આ સિદ્ઘિ સાકાર કરીને હેન્ડ પંપ-ડંકી મુકત ગુજરાત બનાવવાની પણ આપણી નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભૂતકાળમાં ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ હતી. ગામડામાં માતા-બહેનોને પાણી માટે ગાઉ સુધી જવું પડતું, ટેન્કરથી પાણી મેળવવા પડતાં અને  પાણી ના  નો  સોર્સ હતા.

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આપણે હવે પાણીને જ વિકાસનો આધાર બનાવી એવું સુદ્રઢ જળ વ્યવસ્થાપન કર્યું કે નો સોર્સ  શબ્દ જ ભૂતકાળ બન્યો અને સરફેસ વોટર મળતું થયું છે.

પાણીનો દુકાળ ભૂતકાળ બની ગયો છે. આવનારી પેઢી માટે ટેન્કર, હેન્ડ પંપ જેવા શબ્દો ભૂતકાળ બની રહે અને ઘરે ઘરે નળ દ્વારા શુદ્ઘ પીવાનું પાણી મળે તેવું અસરદાર આયોજન કર્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ  જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીર્દ્યદ્રષ્ટિપૂર્ણ જળ વ્યવસ્થાપનની દિશા આપણને આપી નર્મદા ડેમ પૂર્ણ કરાવ્યો છે.

આપણે પણ નર્મદાના જળ કેનાલો અને સૌની યોજના મારફતે કચ્છ-ઉત્ત્।ર ગુજરાત જેવા દૂર દૂરના વિસ્તારોમાં ૭૦૦ કિ.મી દૂર સુધી પહોંચાડયા છે.

સૌની યોજનાથી ૧૧૫ ડેમ, ઉત્ત્।ર ગુજરાતમાં ૫ હજાર જેટલાં તળાવો સુજલામ સુફલામ યોજનામાં ભર્યા અને કચ્છમાં પણ નર્મદા કેનાલથી પાણી આપી નેવાના પાણી મોભે ચડાવ્યા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી વિજયભાઈ રૂપાણીએ પાણીને જ વિકાસનો આધાર ગણાવતા કહ્યું કે શુદ્ઘ જળ દ્યરે-દ્યરે પહોંચાડીને રોગમુકત - તંદુરસ્ત ગુજરાત સાથે વિકાસની સર્વગ્રાહી પ્રક્રિયામાં રાજયને ઉર્ધ્વગામી વિકાસ નું દેશનું રોલ મોડેલ બનાવવું છે.

કેન્દ્રીય જલશકિત મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિડિયો સંબોધનમાં અવસરે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં નિર્બળ, ગરીબ, પીડીતો, શોષિતોના જીવનમાં સકારાત્મક પરિણામો આવ્યા છે. પીવાના પાણી જેવી પાયાની સુવિધાનો જે વર્ષો સુધી અભાવ હતો તે હવે નલ સે જલ અને જલ જીવન મિશનથી નિર્ધારિત લક્ષ્ય સાથે સમય મર્યાદામાં પૂર્ણ થઇ રહ્યો છે.

શ્રી શેખાવતે કહ્યું કે આ સરકારે બે વર્ષમાં બે કરોડ ૩૧ લાખ દ્યરોમાં પાણી પહોંચાડયું છે.

ગુજરાતે એક સાથે ૪ જિલ્લામાં હર દ્યર જલ દ્વારા તેમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે.

તેમણે ઉમેર્યું કે ગુજરાત જળ સંકટ વાળુ રાજય હતું પરંતુ જનભાગીદારીથી સુદ્રઢ ગ્રામીણ જળ વ્યવસ્થાપન વાસ્મો દ્વારા કરીને હવે દેશ માટે મોડેલ સ્ટેટ બન્યું છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ગાંધી જયંતિએ ગુજરાત ના ચાર જિલ્લાના  ગ્રામીણ વિસ્તારોમાં નલ સે જલ સાકાર કરવાની સિદ્ઘિ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા.

આ અવસરે પાણી પુરવઠા સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવશ્રી સહિત વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગરથી જોડાયા હતા.

(4:02 pm IST)