Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અમદાવાદના લાલદરવાજામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા

લાલ દરવાજા વીજળી ઘરથી લઈને માણેક ચોક સુધી દુકાનો અને પાથરણા વાળા જોવાયા

અમદાવાદ: દિવાળીના તહેવારને લઈ રાજ્યભરમાં લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે.  બજારોમાં માસ્ક વગર અને  સોશિયલ ડિસ્ટન્સ વગર લોકો ખરીદી કરતા નજરે પડે છે. હાલ કોરોનાના કેસ ઓછા આવતા હોવાથી નિશ્ચિત થઈ બજારમાં ખરીદી કરી રહ્યા છે. અમદાવાદના લાલદરવાજામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. આ બજારમાં  તમામ વસ્તુઓ સરળતાથી અને સસ્તી મળે છે.  લાલ દરવાજા વીજળી ઘરથી લઈને માણેક ચોક સુધી દુકાનો અને પાથરણા વાળા જોવા મળ્યા હતા

(12:32 am IST)