Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રાજ્યમાં કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 28 દર્દીઓ સ્વસ્થ થયા :આજે વલસાડમાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.090 : કુલ 8.16.311 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 94.555 લોકોનું રસીકરણ કરાયું

વડોદરા કોર્પોરેશન 6, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 3, ગાંધીનગર, જુનાગઢ અને નવસારીમાં 2-2 કેસ અને કચ્છ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા : હાલમાં 190 એક્ટીવ કેસ : શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છેકોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ  28 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 28 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.311 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી વલસાડમાં એક દર્દીનું મૃત્યુ થયું છે , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3,24,655  લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 7.10.25.631 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 196  એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર અને  190 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.311  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 20 કેસમાં વડોદરા કોર્પોરેશન 6, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 3, ગાંધીનગર, જુનાગઢ અને નવસારીમાં 2-2 કેસ અને કચ્છ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે

(9:31 pm IST)