Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મહાનગરોમાં સહીત કચ્છ અને ભરૂચને ભરડામાં લેતો કોરોના :રાજ્યમાં નવા 45 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 26 દર્દીઓ સાજા થયા:આણંદમાં એક દર્દીનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 10.093 :કુલ 8.17.134 લોકોએ કોરોનાને મ્હાત કર્યો : આજે વધુ 4.26.161 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 11 કેસ, ભરૂચમાં 7 કેસ, વડોદરામાં 5 કેસ, સુરત અને ગાંધીનગરમાં 4 કેસ,કચ્છમાં 3 કેસ,નવસારી, ભાવનગર , રાજકોટ,અને વલસાડમાં 2-2 કેસ, આણંદ ,જામનગર અને ખેડામાં 1-1 નોંધાયો : હાલમાં 293 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 45 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 26 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 40 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 27 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.17.134 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી આણંદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.093 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 4.17.134 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8.14.82.622 રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 293 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 લોકો વેન્ટિલેટર પર અને 285 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.17.134 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી આણંદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.093 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 45 કેસમાં અમદાવાદમાં 11 કેસ, ભરૂચમાં 7 કેસ, વડોદરામાં 5 કેસ, સુરત અને ગાંધીનગરમાં 4 કેસ,કચ્છમાં 3 કેસ,નવસારી, ભાવનગર , રાજકોટ,અને વલસાડમાં 2-2 કેસ, આણંદ ,જામનગર અને ખેડામાં 1-1 નોંધાયો છે

(8:12 pm IST)