Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જે પાટણમાં મેં મારુ બાળપણ વિતાવ્યું તેનો વિકાસ કરવાની જવાબદારી પણ મારી જ છે: પીએમ મોદી

તેમણે પાટણની જૂની યાદો યાદ કરતા કહ્યું કે, પાટણના સોનીવાડો આજે પણ યાદ આવે છે ત્યાં રહેતો હતો અને તેની બાજુમાં સંતોષી માતાનો મંદિર, અને સાંજ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. પહેલા તબક્કામાં 60.35 મતદાન નોંધાયું છે. બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થવાનું છે, જે માટે પ્રચારની આખરી ઘડી ચાલી રહી છે,કાલે એટલે કે 3 ડિસેમ્બર પ્રચાર માટેનો આખરી દિવસ છે. જેથી ભાજપ, કોંગ્રેસ, આપ તથા અન્ય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. જેને લઈ વડાપ્રધાન  મોદી પોતે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આજે વડાપ્રધાને પાટણમાં જંગી સભાને સંબોધી છે. તેમણે જણાવ્યું હતું કે,  જે પાટણમાં મેં મારુ બાળપણ વિતાવ્યું તેનો વિકાસ કરવાની જવાબદારી પણ મારી જ છે

  તેમણે જણાવ્યું કે, આજે મારે પાટણનો આભાર માનવો છે કેમ કે, જ્યારે પણ આવું છું ત્યારે જૂના બધા જ રેકોર્ડ તોડી નાંખે છે. તેમણે જણાવ્યું કે, મારા માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે પરંતુ તમારા માટે અજુ કાલનો દિવસ છે પરંતુ આ ચૂંટણીમાં ગઈકાલે જે મતદાન થયું છે તે પ્રમાણે કોંગ્રેસે જ નક્કી કરી લીધું છે કે, ભાજપ જીતી જશે. તેમણે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ EVM પર માછલા ધોવે ત્યારે સમજી લેવું કે તેમણે ઉંચાળા ભરી લીધા છે તેમણે કહ્યું કે, કોંગ્રેસે આ વખતે મતદાન પતે તે પહેલા જ EVM..EVM ચાલું કરી દીધું છે, કોંગ્રેસની વિશેષતા છે કે, જ્યારે ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો આપવાની અને ચૂંટણી પતે પછી EVM પર માછલા ધોવાના.

  તેમણે પાટણની જૂની યાદો યાદ કરતા કહ્યું કે, પાટણના સોનીવાડો આજે પણ યાદ આવે છે ત્યાં રહેતો હતો અને તેની બાજુમાં સંતોષી માતાનો મંદિર,અને સાંજ પડે ત્યારે ચતુર્ભૂજબાગ અને લખોટીવાળી સોડા તેમણે લોકોને પૂછ્યું કે, હવે મળે છે કે નહી અને પાટણ એટલે મેળાઓની ધરતી અહીં એક મેળો પૂરો ન થાય ત્યાં તો બીજો મેળો આવી જાય તેમણે જણાવ્યું કે, જે વ્યક્તિ એક વખત પાટણમાં રહી જાય તે પાટણને ક્યારે ન ભૂલી શકે અને આ પાટણમાં આવીએ ત્યારે સ્વભાવિક એ બધુ યાદ આવે. 

  વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભાજપે કહ્યુ હતુ બેંકમાં ગરીબોના પણ ખાતા હશે અને આજે 44 કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલાવ્યા છે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ ગરીબના નામે માત્ર વાયદા કર્યા અને અમે 11 કરોડથી વધુ શૌચાલય બનાવ્યા છે તેમણે કહ્યું કે, કોંગ્રેસના કામો પણ મારે કરવા પડ્યા છે તેમણે જણાવ્યું કે અમે માતા-બહેનોની તકલીફ જોઇ છે તેમજ કોરોના કાળમાં ગરીબો ભુખ્યા ન સુવે તે માટે હું જાગ્યો તેમણે કહ્યું કે, આજે એવી સરકાર છે સામાન્ય માણસો માટે કામ કરે છે તેવી અને અંબાજીના વિકાસથી લાખો લોકોને રોજગાર મળ્યો તેમણે જણાવ્યું કે, મહેસાણા જિલ્લાનો નવો ઉદય થવાનો છે અને આયુષ્માન યોજનાએ માતા-બહેનોને એક તાકત આપી છે.

(7:30 pm IST)