Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

વ.પંકજસિંહ જાડેજાના જીવન-કવન આધારિત પુસ્તકને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર

અંબાજી ખાતેના સર્કલના નામાભિધાનની કામગીરી સત્વરે પૂરી કરવા લોકલાગણી

યશસ્વી કારકિર્દી સાથે રાજ્ય સરકારમાં નાયબ કલેકટર તરીકે કાર્યરત અને ખુબ નાની ઉંમરમાં અસ્કામતએ સ્વર્ગસ્થ થયેલા સ્વ.પંકજસિંગ જાડેજાના જીવન કવન વિશે જાણીતા લેખક અને વક્તા  તેમજ ગુજરાત સરકારના કલાસ -1 અધિકારી  શૈલેષમાઈ સગપરિયાએ લખેલ પુસ્તક 'નોખી માટીનો અનોખો માણસ પંકજસિંહ જાડેજા ને તાજેતરમાં જ થયેલી જાહેરાત મુજબ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જીવનચરિત્ર વિભાગના શ્રેષ્ઠ પુસ્તક પૈકીના એક તરીકે જાહેર કરવામાં આવતા સ્વ,પંકજસિંહના ચાહકો અને મિત્રવર્તુળમાં આનંદની લાગણી ફેલાઈ છે .લેખક સગપરિયા સાહેબે અત્યાર સુધી 30થી વધારે  પુસ્તકો લખ્યા છે.  તેઓએ પંકજસિંહજી ઉપરાંત સરદાર પટેલ અને પ્રમુખસ્વામી મહારાજ ઉપર લખેલ યાદગાર જીવન ચરિત્રો અનુક્રમે 'સરદારના સંભારણા 'અને 'પ્રમુખ પથ 'મુખ્ય છે,

પંકજસિંહજીના જીવન પરનું પુસ્તક જાણીતા પ્રકાશક કે બુક્સ રાજકોટ દ્વારા સ્ને 2018માં પ્રકાશિત કરવામાં આવેલ અને તેનું વિમોચન પંકજસિંહના વતન મોટી પાનેલી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ

રાજ્ય સરકારની સેવા દરમ્યાન મામલતદાર અને નાયબ કલેકટર  તરીકે ઉત્કૃષ્ટ વહીવટી કામગીરીઓ બદલ બે રાષ્ટ્રપતિ એવોર્ડ અને બેસ્ટ  મામલતદાર એવોર્ડ પ્રાપ્ત કરનાર પંકજસિંહજીના જીવનના એવા પ્રસંગોનું વર્ણન  આ પુસ્તમાં કરવામાં આવેલ છે ! જે દરેક વ્યકિતને તેના ક્ષેત્રમાં ટોચ પર પહોંચવાની પ્રેરણા આપે,પંકજસિંહજીએ ગુજરાત સરકારમાં વિવિધ સ્થળોએ સિમાચિહનરૂપ કામગીરી કરેલ હતી. વિશેષ કરીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, આ મંદિના વહીવટદાર તરીકેના કાર્યકાળ દરમ્યાન અંબાજીમાં થયેલ વિકાસકાર્યો અને તેના પરિણામ સ્વરૂપે દેશ અને દુનિયામાં શ્રેષ્ઠ સંચાલન દેવસ્થાન તરીકેની છાપ ઉભી થયેલ છે.

સ્વ.પંકજસિંહના માયાળુ અને પરોપકારી સ્વભાવના કારણે મળેલી અપાર લોક્ચાહનાને પરિણામે અંબાજીના નગરજનોની માંગણીને ધ્યાનમાં રાખીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થાપક સમિતિએ સર્વાનુમતે અંબાજી-આબુ રોડ-ગબબર રોડ,પરના સર્કલને  સ્વ. શ્રી પંકજસિંહ જાડેંજા ચોક નામ આપવા ઠરાવ કરી મજુરી અર્થે રાજ્ય સરકારને મોકલી આપેલ છે દેવસ્થાનના હિતચિંતક અધિકારીની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટેની આ કામગીરી સત્વરે પુરી થાય તેવી વ્યાપક  માગણી ઉઠવા પામી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ, પંકજસિંહજીએ તેમના કાર્યકાલ દરમ્યાન અંબાજી મંદિરમાં વર્ષોથી બંધ યજ્ઞશાળા ફરી શરૂ કરાવવી,મંદિરમાં સંસ્કૃત પાઠશાળાનો પુનઃઉધાર કરાવવો, દર્શનાર્થીઓ-યાત્રીઓ માટે ફ્લોરીંગ,શેડિંગ તેમજ દિવ્યાંગો માટે વહીલચેર ભાવિકોને ભોજન પ્રસાદ વિનામુલ્યે  આપવાનું શરૂ કારવ્યું તેમજ મંદિરમાં માતાજીને ચડાવવામાં આવતા કિંમતી દાગીના માટે ઓથોરાઇઝડ વેલ્યુઅરની નિમણૂક કરીને મંદિરનો વહીવટ સુચારુ કર્યો તે ઉપરાંત પીવાના શુધ્ધ પાણી માટે આર.ઓ.પ્લાન્ટ જેવી અનેકવિધ કામગીરીઓ કરી હતી ર

આ  ઉપરાંત મંદિરમાં નાના, હંગામી, કુશળ, સમર્પિત માણસોને કાયમી કરવાની તથા કપાતના કારણે બેરોજગાર બનતા પાથરણાવાળા અને નાના  વિદ્યાર્થીઓને અલગ જગ્યા ફાળવવાની સેવાકીય કામગીરી કરેલ હતી,આમ સમાજના તમામ વર્ગોના પ્રિય બનેલા સ્વ,પંકજસિંહજી કે, જાડેજાની નેત્રદીપક કામગીરી અને અંબાજીના વિકાસમાં આપેલ અવિસ્મરણીય યોગદાનના ઋણ સ્વીકાર તરીકે સ્થાનિક પ્રજાની માંગણી અને દેવસ્થાન સમિતિના ઠરાવને સત્વરે બહાલી મળે અને અંબાજીના આબુ  રોડ ગબ્બર રોડ પરના સર્કલને 'સ્વ.શ્રી પંકજસિંહ જાડેજા ચોક ' જાહેર કરવામાં આવે તેવી પ્રબળ લોકલાગણી છે

   
(9:54 pm IST)