Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગુજરાત એનસીસી ડાયરેકટ રેટના ૬પ હજાર એનસીસી કેડેટસનો નવતર રાષ્ટ્રભાવના અભિગમઃ એક મૈ સો કે લિયે સોશ્યલ મિડીયા અભિયાનનો પ્રારંભ કરાવતા વિજયભાઇ રૂપાણી

કારગીલ વિરોને વિજય દિવસની રર મી વર્ષગાંઠ નિમિતે રપ હજાર શુભેચ્છા કાર્ડ પહોંચાડાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ 'એક મૈ સો કે લિયે' સોશ્યલ મિડીયા અભિયાનનાં પાંચમા ચરણનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો તે નજરે પડે છે.

રાજકોટ, તા. ૩ : ગુજરાત NCC  ડાયરેકટરેટના ૬૫ હજાર NCC કેડેટ્સનો નવતર રાષ્ટ્રભાવના અભિગમ વ્યકત કરાયો છે.

 એક મૈં સો કે લિયે સોશિયલ મીડિયા અભિયાનના પાંચમા ચરણનોમુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો.

 કારગીલના વીરોને ગુજરાતનો આભાર અભિયાન અન્વયે ગુજરાત ફઘ્ઘ્ના કેડેટ્સ ૨૫ હજાર શુભેચ્છા કાર્ડ્સ ભારતીય સેનાના વીર જવાનોને કારગીલ વિજય દિવસની ૨૨ મી વર્ષગાંઠ ૨૬ જુલાઈએ પહોંચાડશે.

 ભારતની સરહદના રખોપા કરતા સેનાનીઓ-જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી NCC છાત્રો રાષ્ટ્ર ભકિત ભાવના પ્રદર્શન કરશે

 'એક મેં સૌ કે લિયે' અભિયાનના ચાર તબક્કાઓમાં સોશિયલ મીડિયા માધ્યમથી ૧૪ લાખ ટ્વિટર હિટની સિદ્ધી માટે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ફઘ્ઘ્ ડાયરેકટરેટ ગુજરાતના એડિશનલ ડિરેકટર જનરલ અરવિંદ કપૂરને અર્પણ કર્યું હતું.

 ગુજરાતમાં NCC પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કરી હતી.

 NCC 'C' સર્ટિફિકેટ પાસ કરેલા યુવાઓને પોલીસ દળની ભરતીમાં ગુજરાતમાં અગ્રતા અપાય છે તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ NCC કેડેટ્સને સંબોધન કરતા જણાવ્યું હતું.

 ગુજરાતમાં NCC પ્રવૃત્તિઓનો વ્યાપ વધે બટાલિયનની સંખ્યા વધે અને વધુને વધુ યુવાઓ ફઘ્ઘ્માં જોડાઈ રાષ્ટ્ર સેવા દાયિત્વ નિભાવે તેવું આહવાન મુખ્યમંત્રીશ્રીએ આ તકે કર્યું હતું

 એક મૈં સો કે લિયે અભિયાનના પ્રથમ તબક્કામાં હરેક NCC કેડેટ્સએ ૧૦૦ સંબંધી મિત્રો-શહેરીજનોને ફોનથી સંપર્ક કરી કોરોના પ્રોટોકોલ અને રસીકરણની જાગૃતતા વધારી છે.

 બીજા તબક્કામાં વૃધ્ધો-વયસ્ક વડીલોની સેવી વંદના કરી છે

 ત્રીજા તબક્કામાં પૂર્વ સૈનિકો, શસસ્ત્ર દળોના વીરગતિ પામેલા જવાનોની વિધવાઓને સહાયક બન્યા છે.

 ચોથા તબક્કામાં કોરોના વોરિયર્સ, ડૉકટર્સ, નર્સ, વોર્ડ બોય, આરોગ્ય સેવા કર્મીઓને પ્રોત્સાહિત કર્યા છે

આ અવસરે ગુજરાત  NCC ની વિવિધ બટાલિયન ના આલા અફસરો.મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન,શિક્ષણ અગ્ર સચિવશ્રી હૈદર,મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર અને NCC છાત્રો ઉપસ્થિત રહ્યા હતા

(3:50 pm IST)