Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સુરતના પુણાગામ માનસરોવર શાળાની સામે પત્નીની છેડતી કરી હોવાની શંકામાં યુવાન પર પતિનો હુમલો

સુરત: શહેરના પુણાગામ માનસરોવર સ્કૂલની સામે શાકમાર્કેટમાં બેસેલા બેકાર રત્નકલાકાર ઉપર ગુરુવારે સાંજે પત્નીની છેડતી કરી હોવાની પાંચ વર્ષ અગાઉની શંકામાં તેના જ સમાજના યુવાને માથામાં પાઈપ મારી જીવલેણ હુમલો કરતા પુણા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરની ધરપકડ કરી છે.

મૂળ અમદાવાદના ધંધુકાના મુંડી ગામનો વતની અને હાલ સુરતના પુણાગામ સારોલી કેનાલ રોડ રંગઅવધૂત રો હાઉસમાં બે ભાઈઓ અને પરિવાર સાથે રહેતો દિનેશ વિરસંગભાઇ બારૈયા અગાઉ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો પણ હાલ બેકાર છે. દિનેશ ગતસાંજે છ વાગ્યે પુણાગામ માનસરોવર સ્કૂલની સામે શાકભાજી માર્કેટમાં એકલો બેઠો હતો ત્યારે તેના જ સમાજનાનો અજીત ગોપાલભાઇ મહેરા ( રહે. ધર નં.138, રાધાસ્વામી સોસાયટી, રણુજાધામ સોસાયટીની બાજુમાં, પુણાગામ, સુરત ) લોખંડનો પાઇપ સાથે ધસી આવ્યો હતો. દિનેશ કંઈ સમજે તે પહેલા માથામાં ઉપરાછાપરી ફટકા મારી ફરાર થઈ ગયો હતો.દિનેશને માથે પંદર ટાંકા આવ્યા હતા.તેના ભાઈ મહેશે હત્યાના પ્રયાસની ફરિયાદ પુણા પોલીસમાં નોંધાવી હતી.

(6:13 pm IST)