Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ઈડરના વીર જવાન જયદીપ સિંહ શહીદ : પરિવારમાં કરુણ આક્રંદ : ગાંઠીયોલ ગામમાં શોકની લાગણી

પાર્થિવદેહ વતન લાવતા ગામ હીબકે ચડ્યું : રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલા ગાંઠીયોલ ગામનો વીર  જવાન પોતાની ફરજ દરમિયાન શહીદ થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.ઘટનાની જાણ થતા જ પરિવારજનો પર આભ ફાટ્યુ હોય તેમ પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે જ્યારે આખા ગામમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
  જેતાવત જયદીપસિંહ જ્યારે પશ્વિમ બંગાળમાં ફરજ નિભાવી રહ્યો હતો ત્યારે તેનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું જેથી તેનો પાર્થિવ દેહ માદરે વતન લાવવામાં આવ્યો હતો જે બાદ આખું ગામ હિબ્કે ચઢ્યું હતું. જે બાદ આજે રોજ તેના અંતિમ સંસ્કાર કરાયા હતા.
જેતાવત જયદીપસિંહનો ફરજ પર શહીદ થતા આજે તેમનો રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયો હતો જેને લઈ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

(11:36 pm IST)