Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ધારીખેડા ગામમાં નારિયેળના ઝાડ પર નારિયેળ પાડવા ચઢેલા શખ્સનું નીચે પડતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામમાં નારિયેળના ઝાડ પરથી નીચે પટકાયેલા શખ્સનું મોત થતા આમલેથા પોલીસે કાર્યવાહી કરી છે.
ધારીખેડા ગામમાં રહેતા રૂપલભાઈ માધવભાઇ વસાવા (ઉ .વ.૪૮ )નાઓ તા.31 થી તા.1 ઓગસ્ટ ના કોઈપણ સમયે ગામના જાંબુડાવાળા વગામાં આવેલા અમૃત્તભાઇ પરસોત્તમભાઇ વસાવાના ખેતરના છેડા ઉપર આવેલ નારીયેળીના ઝાડ ઉપર ચઢી નારીયેળ પાડતા આકસ્મિક રીતે ઝાડ ઉપરથી નીચે પડી જતા ઇજાઓ ના કારણે તેમનું મોત નિપજતા મૃતકના પત્ની રંજનબેને આમલેથા પોલીસમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:56 pm IST)