Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ગુજરાતની પ્રજા અને ભાજપ કાર્યકરો દ્વારા રત્નાકરજીને ખૂબ સ્નેહ મળશે

નવા સંગઠન મહામંત્રીના સ્વાગત પ્રસંગે વિશ્વાસ વ્યકત કરતા પ્રદેશ પ્રમુખ

મૂળ ઉત્તરપ્રદેશના વતની ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ગઇકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને અન્ય પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૩ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ યાદીમાં જણાવે છે કે, આજરોજ નવનિયુકત પ્રદેશ ભાજપાના સંગઠન મહામંત્રી રતનાકરજી એ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તેમજ ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પરિચય બેઠક યોજી.તેમજ પ્રદેશના પદાધિકારીઓ દ્વારા ગુજરાતની પાવન ધરા પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ પ્રદેશના પદાધિકારીઓ, સેલના સંયોજકો, મોરચાના પ્રમુખ મહામંત્રી, ગાંધીનગર અને કર્ણાવતી મહાનગરના પ્રમુખ, મહામંત્રી સાથે પરિચય બેઠક યોજી. ગુજરાતની પ્રજા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો અઢળક પ્રેમ શ્રી રત્નાકરજીને મળશે તેવો વિશ્વાસ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ વ્યકત કર્યો હતો.૧૯૭૩માં ઉત્તર પ્રદેશના દેવરિયામાં જન્મેલા શ્રી રત્નાકરજી ૧૯૯૧માં અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદમાં જોડાયા. ૧૯૯૫ થી ૨૦૧૩ દરમિયાન સંઘના પૂર્ણ કાલીન પ્રચારક રહ્યા. બિહાર ભાજપાનાં સહ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી નિભાવનાર શ્રી રત્નાકરજી સતત અઢાર વર્ષ સંઘનાં પ્રચારક રહ્યા છે અને એમની કર્મશીલતાને પગલે ઉત્તર પ્રદેશમાં સંઘ વધારે મજબૂત બન્યું. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલા એમણે ગોરખપુર લોકસભા બેઠકની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહનાં માર્ગદર્શન હેઠળ એમણે વારાણસી વિધાનસભા અને લોકસભાની જવાબદારી પણ નિભાવી હતી.

કાર્યક્રમમાં મહામંત્રીઓ  રજનીભાઈ પટેલ, ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદીપસિંહ વાઘેલા, વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા તેમજ પ્રદેશના હોદ્દેદારો સહિત સેલ તથા મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)