Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સુરતના લીંબાયતમાં 30 વર્ષીય કિન્નરે ઘરમાં ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા રહસ્ય અકબંધ

સુરત: શહેરનાલિંબાયતમાં સાંઇકૃર્પા એપાર્ટમેન્ટમાં રહેતી 30 વર્ષીય કિન્નર ગોપીકુંવર શિવાની કુંવરે આજે સવારે ઘરમાં કોઇ કારણસર ગેલેરીમાં એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. બીજા બનાવમાં સરથાણામાં શ્યામધામ ચોક પાસે યોગેશ્વર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય અરવિંદ અંબાભાઇ તેજાણીએ ગત તા.૩૧મીએ સવારે ઘરમાં અગમ્ય કારણસર  ઝેરી દવા પી લેતા ે ખાનગી હોસ્પિટલમાં ગત સવારે તે મોતને ભેટયા હતા. તે મુળ ભાવનગરના વતની હતા. તેમને બે સંતાન છે. તે રેતી-કપચીના કામ સાથે સંકળાયેલા હતા.

 

(6:22 pm IST)