Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે રોગચાળાનો ભરડો : રોજના 1700 દર્દીઓની ઓપીડી નોંધાઈ

તાવ, શરદી, ઉધરસના દરરોજના 600 દર્દીઓ; નોન કોવિડના દર્દીમાં સતત વધારો

અમદાવાદ : અમદાવાદમાં  કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં નોન કોવિડ OPDમાં દર્દીઓનો વધારો થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પટલમાં રોજના 1700 દર્દીઓની OPD નોંધાઈ રહી છે. ચોમાસાની ઋતુના કારણે અમદાવાદમાં કોરોના સિવાયના દર્દીઓમાં એટલે કે નોન કોવિડના દર્દીમાં વધારો થઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં નોન કોવિડ OPDમાં દર્દીમાં વધારો સતત વધારો થઇ રહ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં રોજના 1700 દર્દીઓની OPD નોંધાઈ રહી છે. જેમાં માત્ર તાવ, શરદી, ઉધરસના દરરોજના 600 કેસ નોંધાયા છે. ચોમાસાની ઋતુના કારણે અમદાવાદમાં કોરોના સિવાયના રોગોએ પણ માથું ઉચક્યું છે.

(1:24 pm IST)