Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

તહેવારોને લઇને અમદાવાદ અને જબલપુર વચ્ચે વીકલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે

રેલવે પ્રશાસન દ્વારા દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોને લઇને કુલ 10 ટ્રિપ ચલાવવાનો નિર્ણય

અમદાવાદ :રેલવે પ્રશાસન દ્વારા દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી સંખ્યાનો વિચાર કરીને અમદાવાદ અને જબલપુર વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (ખાસ ભાડાં પર) કુલ 10 ટ્રિપ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે 

ટ્રેન નંબર 01703 અમદાવાદ-જબલપુર સ્પેશિયલ તારીખ 05 ઓક્ટોબરથી 02 નવેમ્બર 2022 સુધી દર બુધવારે અમદાવાદથી બપોરના 13:55 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે  09:35 વાગ્યે જબલપુર પહોંચશે.

એ જ રીતે ટ્રેન નંબર 01704 જબલપુર-અમદાવાદ સ્પેશિયલ  04 ઓક્ટોબરથી 01 નવેમ્બર 2022 સુધી દર મંગળવારે જબલપુરથી સાંજે 18:25 વાગ્યે ઊપડીને બીજા દિવસે સવારે 11:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. 

 

(10:35 pm IST)