Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ધારસીભાઇ ખાનપુરાના અવસાનથી શોકમગ્ન છુઃ કાંકરેજના પૂર્વ ધારાસભ્યને શ્રદ્ધાંજલી અર્પણ પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરઃ મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ કાંકરેજ ના પૂર્વ  ધારાસભ્ય સ્વ.ધારસી ભાઈ ખાનપુરા ના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે

મુખ્ય મંત્રીશ્રી એ સદગત ને અંજલિ આપતા જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય શ્રી ધારસીભાઈ ખાનપુરાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.

પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના પણ મુખ્ય મંત્રીશ્રી એ કરી છે

(5:38 pm IST)