Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગાંધીનગર:ઈન્દીરાબ્રીજ હાઇવે નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર: ઈન્દિરાબ્રિજ હાઈવે ઉપર ગઈકાલે રાત્રીના સમયે કાર લઈને પસાર થઈ રહેલા મહેસાણા ખેરાલુના પરિવારની કારને અન્ય કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જેમાં સવાર ત્રણ બાળકોને ઈજા પહોંચતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં પોલીસની વાન લઈ ગઈ હતી. જયાં સારવાર દરમ્યાન એક બાળકનું મોત નીપજયું હતું. ઘટના અંગે અડાલજ પોલીસે ફરાર થયેલા કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.  

અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામે રહેતા અને વકીલાત કરતાં અજયકુમાર હર્ષદભાઈ બારોટ શુક્રવારે તેમની કાર નં.જીજે-ર૪-એએમ-૦૪૩૮ લઈને તેમની પત્નિ નેહા, પુત્રી જહાનવી, પુત્ર નિધય અને ભત્રીજી રીયા સાથે વડોદરા ગયા હતા. જયાંથી ગઈકાલે સાંજે ખેરાલુ જવા પરત નીકળ્યા હતા. જયાં વડોદરાથી તેમનો ભાણો નિરામય તેમની સાથે આવ્યો હતો અને ઠકકરનગરથી પણ અન્ય ભાણો હિતાંશુ પણ તેમની સાથે ખેરાલુ જવા આવ્યો હતો.

(5:53 pm IST)