Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 1197 દર્દીઓ સાજા થયા : નવા 954 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 1,75,633 થયો : કુલ 1,59,448 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 6 લોકોના મોત : મૃત્યુઆંક 3734 થયો

સુરત કોર્પોરેશનમાં 157, અમદાવાદ કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 70, સુરતમાં 49, વડોદરામાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 36, પાટણમાં 23, જામનગર કોર્પોરેશનમાં 22, અમદાવાદમાં 21, મહેસાણામાં 21, બનાસકાંઠામાં 18, ભરૂચમાં 16, પંચમહાલમા 16, ગાંધીનગરમાં 15 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 12,700 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો જાય છે છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખમ્મા વધારો થાઈ છે આજે રાજ્યમાં  કોરોનાંથી વધુ 1004 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 954 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3734 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,451 એક્ટિવ કેસ છે, જ્યારે 1,59,448 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 12, 390 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,75,633 પર પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,  સુરત કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1,આ ને સુરતમાં 1 મળીને કુલ 6 લોકોના મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 954 કેસમાં સૌથી વધુ સુરતમાં 198 કેસ,અમદાવાદમાં 164 કેસ, વડોદરામાં 108 કેસ, રાજકોટમાં 64 કેસ,પાટણમાં 40 કેસ, મહેસાણામાં 39 કેસ, ગાંધીનગરમાં 32 કેસ, બનાસકાંઠામાં 31 કેસ,જામનગરમાં 30 કેસ,જૂનાગઢમાં 23 કેસ,સાબરકાંઠામાં 21 કેસ, નર્મદામાં 20 કેસ,નોંધાયા છે

  રાજ્યમાં આજે 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 62,10,550 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.78 ટકા છે .

(7:39 pm IST)