Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 27 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :કુલ મૃત્યુઆંક 10.090 :કુલ 8.16.338 લોકોએ કોરોનાને હરાવ્યો: આજે વધુ 3.02.746 લોકોનું રસીકરણ કરાયું

વડોદરામાં 7 કેસ,જૂનાગઢમાં 6 કેસ, અમદાવાદમાં 5 કેસ, વલસાડમાં 4 કેસ, નવસારી અને સુરતમાં 3-3 કેસ, કચ્છ અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો:હાલમાં 199 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ  23 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 27 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.338 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.02.746 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 7.13.28.377 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 199 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર અને  193 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.338  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 30 કેસમાં વડોદરામાં 7 કેસ,જૂનાગઢમાં 6 કેસ, અમદાવાદમાં 5 કેસ, વલસાડમાં 4 કેસ, નવસારી અને સુરતમાં 3-3 કેસ, કચ્છ અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે

(8:20 pm IST)