Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ગુજરાતના મનિષ પટેલની મુંબઈમાં ગળું કાપી હત્યા: ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો

અમદાવાદ ખાતે આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સાથે સંકળાયેલા ૪૦ વર્ષના વેપારી શ્રી મનિષ પટેલનો મૃતદેહ દહીસર ખાતે ભાડાના મકાનમાં ભેદી સંજોગોમાં મળી આવ્યો હતો. તેમના ગળા ઉપર કાપા દેખાતા હતા. પોલીસ હત્યાનો બનાવ માને છે. સુરેશભાઈને ધંધામાં મોટું નુકસાન ગયું હોય તેઓ નસીબ અજમાવવા મુંબઈ આવ્યાનું મનાય છે. કોઈ જાણભેદુનો હાથ હોવાનું પોલીસ માની રહી છે. અમદાવાદ ખાતે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હોવાનું પ્રસિદ્ધ થયું છે.

(10:06 am IST)