Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ગુજરાતમાં મતદાર યાદી સુધારવા અરજી સ્વીકારવાની મુદત ૫મી ડિસેમ્બર સુધી વધારાઈ

હવે ગુજરાતના નાગરિક ૫મી સુધી નામ સુધારા માટે અરજી કરી શકશે

ગાંધીનગર : રાજ્યના નાગરિકોની રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણાની તારીખ ૫ ડિસેમ્બર સુધી લંબાવેલ છે.

ભારતના ચૂંટણી પંચના તા.૦૩/૦૮/૨૦૨૧ના પત્રથી તા.૦૧.૦૧.૨૦૨૨ની લાયકાતની તારીખે મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ હતો. જે મુજબ હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ સુધીનો નિયત કરવામાં આવેલ હતો.

            પરંતુ રાજ્યના નાગરીકો તરફથી આ કાર્યક્રમમાં વધુ લાભ લઇ શકે તે હેતુથી ભારતના ચૂંટણી પંચે તેઓના તા.૩૦/૧૧/૨૦૨૧ના પત્રથી હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૦૧/૧૨/૨૦૨૧ થી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી લંબાવેલ છે. આથી, આ લંબાવેલા સમયગાળા દરમ્યાન ૧૮-૧૯ વયજૂથ કે તે સિવાયના વયજૂથના પણ મતદાર તરીકે નોંધણી કરાવેલ ન હોય તેવા નાગરીકો વધુમાં વધુ મતદાર તરીકે નોંધણી કરાવે તે માટે નાગરિકો/મતદારોને અનુરોધ કરવામાં આવે છે.

            વધુમાં જિલ્લા કક્ષાએ તેમજ મતદાર નોંધણી અધિકારી કક્ષાએ પણ આ માટે ખાસ આયોજનો કરી વધુમાં વધુ મતદારો નોંધણી કરાવે તે માટે પ્રયત્નો હાથ ધરવા મુખ્ય અર્વાચીન અધિકારીની યાદીમાં અનુરોધ કરેલ છે

(9:00 pm IST)