Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવા : સાંજે વિધીવત જાહેરાત

કુલ ૮ વખત ધારાસભાની ચૂંટણી લડયા છે

અમદાવાદ : ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પસંદગી કરાઇ છે. અત્યાર સુધી કુલ ૮ વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડયા છે. જેમાં ૫ વખત વિજેતા બન્યા છે. ૭ વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડયા. જ્યારે વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭માં પાવી જેતપુર બેઠક ઉપરથી ચૂંટણી લડયા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે ૪૨૭૩ મતોથી હાર્યા હતા. જ્યારે ૨૦૧૭માં ૩૦૫૨ મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ ૧૯૮૫થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગાના રહેવાસી છે

(12:38 pm IST)