Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કાલે સ્વ. અભયભાઇ ભારદ્વાજની પ્રથમ વાર્ષીક પુણ્યતિથિ નિમિતે મેમોરીયલ લેકચર

કાયદામંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી વકતવ્ય આપશે

 રાજકોટઃ તા.૩, ગુજરાતના પ્રખર ધારાશાસ્ત્રી અને સાંસદ સ્વ. શ્રી અભયભાઇ ભારદ્વાજની પ્રથમ વાર્ષીક પુણ્યતિથિ નિમિતે રાજકોટ સૌરાષ્ટ્રના વકીલો દ્વારા પ્રથમ સભ્ય ભારદ્વાજ મેમોરીયલ લેકચર કાલે તા.૪ શનિવારે આત્મીય કોલેજ કાલાવડ રોડ ખાતેના હોલમાં સાંજના ૫ થી ૭ રાખેલ છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમહેમાન અને મુખ્ય વકતા તરીકે કાયદામંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી રહેનાર છે.

આ પ્રથમ વાર્ષીક પુણ્યતિથિ નિમિતે વકીલો દ્વારા સ્વ.શ્રી અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી આપવા યોજેલ કાર્યક્રમમાં તમામ વકીલોએ સમયસર ઉપસ્થિત રહેવા તેમના પુત્ર અંશ ભારદ્વાજે અપીલ કરેલ છે. હોલની મર્યાદીત જગ્યા હોય તમામે વહેલા તે પહેલા ના ધોરણે જગ્યા આપવામાં આવશે. બીજાના વકીલોને બીજા હોલમાં બેઠક વ્યવસ્થા અપાશે.

સ્વ. અભયભાઇ ભારદ્વાજ માટે રાજકોટ - સૌરાષ્ટ્રના તમામ વકીલો સાથે કૌટુબીંક ધરોબો હોય કોઇ પણ જુનીયર વકીલોને માર્ગદર્શન આપતા હોય તમામ વકીલોના આ કાર્યક્રમ માટે અનેરો ઉત્સાહ જાવા મળી રહેલ છે.

(4:41 pm IST)