Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

એન.ઓ.પી.આર.યુ.એફ ના ગુજરાત કાર્યકારી અધ્યક્ષ તરીકે નરેન્દ્રભાઈ ગોહેલની નિમણુક કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાષ્ટ્રીય પુરાની પેન્શન બહાલી સંયુક્ત મોરચા (એન.ઓ.પી.આર.યુ.એફ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.પી.સિંહ રાવત અને ગુજરાત રાજ્ય પ્રભારી રાકેશભાઈ કંથારિયા, તેમજ પ્રમુખ પંકજભાઈ પ્રજાપતિની સહમતીથી નરેન્દ્રભાઇ ગોહિલને ગુજરાત રાજ્યના એન.ઓ.પી.આર.યુ.એફ સંગઠનના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.  નરેન્દ્રભાઈ ગોહેલ  કે જેઓ જે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘમાં વિવિધ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. તેઓ 1997 થી અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી, 2009 થી 2015  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ, 2015  થી 2018 અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ રહ્યા છે. નરેન્દ્રભાઇ ગોહેલ એન.ઓ.પી.આર.યુ.એફ સંગઠનના  કાર્યકારી પ્રમુખ બની ગુજરાતના બે લાખ થી વધારે એન.પી.એસ  ધારક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરશે અને એમને ન્યાય અપાવવા તેઓ એન.ઓ.પી.આર.યુ.એફ ના નેજા હેઠળ પ્રોગ્રામ આપશે.  નરેન્દ્રભાઇ ના આવવવા થી જૂની પેન્શન યોજના માટે ઉત્સુક એવા કર્મચારીઓમાં હર્ષ ની લાગણી ફેલાઇ જવા પામી છે

(6:50 pm IST)