Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજ્યમાં ઓમિક્રોનના વધુ 16 કેસ નોંધાયા : અમદાવાદમાં ઓમિક્રોનના 7 કેસ, વડોદરામાં 2 કેસ, જામનગર, આણંદ જિલ્લામાં ઓમિક્રોનના 2-2 કેસ તેમજ કચ્છ અને ખેડામાં એક-એક કેસ.

અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 152 કેસ: કુલ 85 દર્દીઓ સાજા થયા : ઓમિક્રોનને કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી

અમદાવાદ : રાજયમાં ઓમિક્રોનના વધુ 16 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. અમદાવાદમાં ઓમિક્રોનના 7 કેસ, વડોદરામાં 2 કેસ, જામનગર, આણંદ જિલ્લામાં ઓમિક્રોનના 2-2 કેસ તેમજ કચ્છ અને ખેડામાં ઓમિક્રોનના એક-એક કેસની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 152 કેસ નોંધાઈ ચૂક્યા છે. કુલ 85 દર્દીઓ સાજા થયા છે. સારા સમાચાર એ છે કે ગુજરાતમાં ઓમિક્રોનને કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી

(8:25 pm IST)