Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલને પણ કોરોના વળગ્યો

કોરોનાગ્રસ્ત મનોજ અગ્રવાલ ઘરે જ લઈ રહ્યા છે સારવાર

અમદાવાદ : રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા છે કોરોનાગ્રસ્ત મનોજ અગ્રવાલ હાલમાં ઘરે જ સારવાર લઇ રહ્યા છે

રાજ્યમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યાં છે ત્યારે હવે તેમાંથી કોઇ પણ બાકાત રહેશે તેવું નથી લાગી રહ્યું. કારણ કે તાજેતરમાં જ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પણ કોરોનાની ઝપેટમાં આવી ચડ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ કોરોના સંક્રમિત થયાં છે. જો કે, મનોજ અગ્રવાલ ઘરે જ સારવાર લઈ રહ્યાં છે.આજ સાંજનાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

 

(8:07 pm IST)