Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

રાજ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દી સ્વસ્થ થયા નથી : આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :મૃત્યુઆંક 11.046 થયો :કુલ 12.66.602 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 3748 લોકોનું રસીકરણ કરાયું

રાજયમાં હાલમાં 9 કોરોનાનાં એક્ટીવ કેસ:શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવો એકપણ કેસ નોંધાયો નથી, આજે વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 12,66,602 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,046 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 3748 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.58.032 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 9 એક્ટિવ કેસ છે.જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી 9 દર્દીઓ સ્ટેબલ છે.  રાજ્યમાં આજે એકપણ કેસ નોંધાયો નથી

 

ગુજરાતમાં નવી જંત્રી અમલમાં આવશે. રાજ્યમાં બાર વરસ બાદ જંત્રીમાં વધારો થયો છે

ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩ર-કના અસરકારક અમલ માટે રાજય સરકાર ધ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજાર કીંમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. હાલમાં રાજયમાં આ વિભાગના ઉપર સંદર્ભ (૧) માં જણાવેલ તા.૧૮/૦૪/૨૦૧૧ ના ઠરાવી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧ ના ભાવો તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલમાં મુકવામાં આવેલ છે. સદર ભાવ છેલ્લા ૧૨ વર્ષથી અમલમાં છે. 

રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે. રાજયના વિકાસને અવિરત વેગ મળતો રહે અને આ વધેલ ભાવો મુજબ નાગરિકોની સ્થાવર મિલ્કતના બજારભાવ નક્કી થઈ શકે તે માટે જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧ ના ભાવોમાં વધારો કરવો જરૂરી બને છે.

રાજયમાં ગુજરાત સ્ટેમ્પ (મિલકતની બજારર્કીંમત નકકી કરવાના) નિયમો ૧૯૮૪ના નિયમ ૧(૪) મુજબ તા.૦૧/૦૪/૨૦૨૨ની સ્થિતિએ બહાર પાડવાના મિલકતના વાર્ષિક પત્રક (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ના ભાવો બહાર પાડી શકાયેલ ન હોવાથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ -૨૦૧૧ ના ભાવોમાં વધારો કરવો ઉચિત જણાય છે.

સરકાર દ્રારા પુખ્ત વિચારમાને અંતે રાજ્યમાં 18 એપ્રિલ 2011થી નક્કી કરેલા દરો તા. 05-02-2023થી બે ગણી કરવાનું ઠરાવવામાં આવ્યું છે. દાત. 18-04-2011થી નક્કી કરેલી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧માં મિલકતના દર પ્રતિ ચો.મી.ના રૂપિયા ૧૦૦/- નક્કી થયેલ હોય ત્યાં બે ગણા એટલે કે રૂપિયા ૨૦૦/- દર ગણવાનો રહેશે.

(૧) સરકારશ્રી ધ્વારા પુખ્ત વિચારણાને અંતે રાજયમાં તા.૧૮/૦૪/૨૦૧૧થી નકકી કરેલ દરો તા ૦૫/૦૨ા૨૦૨૩ થી બે ગણા કરવાનું આથી ઠરાવવામાં આવે છે. દા.ત. તા.૧૮/૦૪/૨૦૧૧ થી નક્કી કરેલ.

(૨) રાજયમાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી-૨૦૧૧ ના અમલીકરણ માટેના માર્ગદર્શનો (ગાઈડ લાઈન્સ બહાર પાડવામાં આવેલી છે. જે આથી રદ કરી તેના બદલે આ સાથે સામેલ નવેસરથી બહાર પાડેલ માર્ગદર્શનો (ગાઈડ લાઈન્સ) અમલમાં મુકવામાં આવે છે. તા.૩૧/૦૩/૨૦૧૧ના ઠરાવમાં જણાવેલ અન્ય જોગવાઇઓ યથાવત રહેશે.

(૩) તા.૦૫/૦૨/૨૦૨૩ કે તે પછી સહી થયેલ નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરતાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી ( એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ -૨૦૧૧ માં નક્કી થયેલ દરના બે ગણા કરી સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરવાની રહેશે.

(૪) નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં જયાં જરૂર જણાય ત્યાં સ્થાવર મિલકતની બજારકિંમત નકકી કરવા અંગેની કાર્યપધ્ધતિ અંગે વિગતવાર સૂચનાઓ સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્ય, ગાંધીનગરે બહાર પાડવાની રહેશે.

(પ) આ ઠરાવની અમલવારી સંદર્ભે જો કોઇ અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત થાય તો તે બાબતે આખરી સત્તા સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્યને રહેશે,

(8:14 pm IST)